છેલ્લા ઘણા સમયથી મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક વેળાએ પ્રેક્ષક ગેલેરી બંધ રાખવામાં આવે છે. વિરોધ પક્ષના ઉપનેતા મનસુખભાઈ કાલરીયાએ આજે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયને રજૂઆત કરી હતી અને સભાગૃહની પ્રેક્ષક ગેલેરી લોકો માટે ખુલ્લી મુકવા માંગ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પ્રેક્ષક ગેલેરી બંધ રાખવી જનતાને અન્યાય કરતા અને લોકશાહીને ગળાટૂંકા સમાન છે. આ નિર્ણયથી ભાજપની સરમુખત્યારશાહી માનસીકતા છતી થાય છે. બોર્ડમાં સામાન્ય રીતે લોકોને સીધી અસર કરતા પ્રશ્ર્નોની ચર્ચા થતી હોય છે ત્યારે લોકો પણ આ તંદુરસ્ત ચર્ચામાં સામેલ થઈ શકે તે માટે પ્રેક્ષક ગેલેરી ખુલ્લી રાખવી જોઈએ. જો વિપક્ષની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો સામાન્ય લોકોને ન્યાય અપાવવા કોંગ્રેસ પોતાની લડત ચાલુ જ રાખશે.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ