Abtak Media Google News

આજના સમયમાં પ્રદૂષણની સમસ્યા ખૂબ જ વધી રહી છે.જ્યાં ત્યાં લોકો દ્વારા પ્રદૂષણમાં ખુબ જ વધારો થયો રહ્યો છે .અત્યારે નદીઓ અને તળાવો પણ ખૂબ જ પ્રદૂષિત થઈ રહ્યા છે. પર્યાવરણની પરિસ્થિતિને સુધારવા માટે ઘણા લોકો પ્રયત્ન કરી રહ્યા છે.કોઈક વૃક્ષો ઉગાડે છે તો કોઈક નદી અને સમુદ્રના કિનારાને સાફ કરે છે.

Screenshot 4 14

મહારાષ્ટ્રની રહેવાસી પૂજા બદામીકર પણ પ્રદૂષણ નિવારણ માટે છેલ્લા ૨ વર્ષથી લોકોને જાગરૂક કરી રહી છે.તે છેલ્લા ૨ વર્ષથી ખરાબ ટાયરમાંથી ચપ્પલ બનાવવાનું કામ કરે છે.

Screenshot 5 7

વિશ્વભરમાં દર વર્ષે ૧ બિલિયન ટાયર કચરામાં ફેંકી દેવામાં આવે છે જેના દ્વારા પ્રદૂષણના સ્તરમાં ખૂબ જ વધારો થાય છે.આ બધી જ રિસર્ચ કર્યાં બાદ પૂજાને ખરાબ ટાયરમાંથી ચપ્પલ બનાવવાનો વિચાર આવ્યો.આ કાર્ય માટે તેને લોકલ મોચીઓની મદદ લીધી અને ફૂટવેર બનાવવાનું શરૂ કર્યું.

Screenshot 2 30

તેના ફૂટવેર બ્રાન્ડ નામ ‘નિમિટલ’ છે. આ કામ સાથે તે લોકોને લોકોને ફુટવેર પૂરા પાડે છે અને શહેરમાં વધી રહેલા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે પણ કામ કરી રહી છે. પૂજાની આ પ્રવૃત્તિ માટે તેને આ વર્ષે ‘અપકમિંગ વુમન ઇન્ટરપ્રેન્યોર એવોર્ડ’ પણ આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.