મોરબીની અગ્રણી બેન્ક એવી દેનાબેન્કના એટીએમને નોટબંધીનું ગ્રહણ લાગ્યા બાદ ખુલવા ન પામતા પેંશનરો અને સરકારી કર્મચારીઓને હાલાકીનો ભોગ બનવું પડે છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં રાષ્ટ્રીયકૃત દેનાબેંકની શાખાઓમાં અનેક સરકારી કર્મચારી અને પેંશનરો જોડાયેલા છે પરંતુ ખાતેદારોની કમનસબી છે કે પરાબજાર અને ગેંડા સર્કલ નજીક આવેલી દેનાબેન્કની બંને શાખાઓના એટીએમ નોટબંધી બાદથી બંધ હાલતમાં છે. ઉલ્લેખનીય છે કે મોરબી શહેરની મોટાભાગની સરકારી કચેરીઓ અને રેલવેના કર્મચારીઓના ખાતા દેના બેંકમાં હોય એટીએમ બંધ હોવાથી તેમને મુશ્કેલી પડે છે,વધુમાં એટીએમ બંધ હોવાથી ખાતાધારકોને ફરજિયાત પણે ચેક અથવા વિડ્રોલફોર્મથી નાણાં ઉપાડવા પડે છે અને તેમાં પણ ભારે ગિરદી ને કારણે દેનાબેન્કના ખાતેદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
- સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ‘ચંચુપાત’ન કરવો જોઈએ : જયેશ રાદડિયા
- કર્ણાવતી સ્કુલનું ધો.10નું શ્રેષ્ઠ પરિણામ
- રફાળેશ્વર પાસે સગીરાનું શંકાસ્પદ મોત, પ્રેમીએ દવા પીવડાવ્યાનો પરિવારનો આક્ષેપ
- પૂજા હોબી સેન્ટરનો દબદબો: 33 ગોલ્ડ, 14 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા
- હવે પર્યાવરણનું જતન ન્યાયતંત્ર જ કરાવી શકે!
- જૈન આચાર્ય લોકેશજીએ ઉત્તરાખંડ રાજભવનની ગૌશાળામાં કરી ગાયોની સેવા
- શ્રેયાંશ સ્કુલનું અભૂતપૂર્વ પરિણામ: વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ