Abtak Media Google News

ગાંધીધામથી રાજકોટ જતી વેળાએ મોરબી આર.ટી.ઓ. કચેરી પાસે રીક્ષાને અકસ્માત નડયો

મોરબી આર.ટી.ઓ. કચેરી પાસે ટ્રકની ઠોકરે રીક્ષા પલ્ટી મારી જતા ત્રણ યુવતિ સહીત છ મહિલાને શરીરે નાની મોટી ઇજા થતા સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડાઇ હતી. અકસ્માતના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ મોરબી આર.ટી.ઓે. કચેરી પાસે સોમવાર સાંજે ટ્રકની ઠોકરે રીક્ષા પલ્ટી મારી જતા રીક્ષામાં સવાર અમદાવાદના વટવા ચાર માળીયા કવાર્ટરમાં રહેતા પુજાબેન અલીનભાઇ બારોટ (ઉ.વ.૨૧), મધુબેન નરેશભાઇ બારોટ (ઉ.વ.૨૦), નીલુબેન સુરજ બારોટ (ઉ.વ.૨૦), ડાલીબેન રમેશ બારોટ (ઉ.વ.રર), સુનીતાબેન રાજુ બારોટ (ઉ.વ.ર૦) રીક્ષા ચાલકને શરીરે નાની મોટી ઇજા થતા સ્થાનીક લોકોએ ૧૦૮ મારફતે સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખસેડયા હતા. અમદાવાદના બારોટ પરિવારની મહીલાઓએ ગાંધીધામથી રાજકોટ રીક્ષામાં જતી વેળાએ મોરબી પાસે અકસ્માત સર્જાયાનું અને શરીરે ઇજા થયાનું મોરબી તાલુકા પોલીસને જણાવ્યું હતું અકસ્માતના બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.