જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ જયાં બિરાજમાન છે.અને લાખો કરોડો યાત્રીકો બહારથી નિયમીત સોમનાથ દર્શને આવતા જ રહે છે. તથા પ્રભાસ પાટણમાં વાડી વિસ્તાર સહિત અંદાજે વીસથી 25 હજારની વસ્તી છે.તથા સુરક્ષા સેનાનો અહી મોટો કાફલો છે.આમ છતાં આરોગ્ય તંત્રે પ્રભાસપાટણમાં કોરોના કવચની રસીનું રસીકરણ કેન્દ્ર સરકારે લીસ્ટમાં બહાર પાડયું હોવા છતાં ધરાર નથી ખુલ્યું આમ વાસીદામાં સાંબેલું વળાઈ ગયું છે. કારણ કે નાના નાના ગામડાઓમાં આવી રસી દેવાય છે.નાના એવા ભીડીયામાં છે. પણ પાટણમાં નથી જયારે પાટણમાં તો બહારથી આવતા યાત્રીકો સાથે તમામને ધંધા ધાપાને કારણે સંપર્ક રાખવો પડે છે.સંપન્ન અને ન છૂટકે મોંઘાદાટ રીક્ષા ભાડાઓ ખરચી લોકો વેરાવળ સુધી લાંબા થાય છે. અને હાડમારી વેઠે છે. બીજી તરફ ટી.વી.ની ગમે તે ચેનલ ખોલો હાથ ઘૂઓ, સેનેટાઈઝર કરાવો અને રસીકરણ કરાવો 24એ કલાક દેખાડે રખાતું હોય છે.સરકારે તાબડતોબ હુકમ કરી અને પ્રભાસનાં દરેક જ્ઞાતિનાં આગેવાનોને આ વ્યવસ્થા ગોઠવાઈ છે તેવી ખાત્રી આપી બહોળો પ્રચાર અને જનસંપર્ક સાથે રસીકરણ કેન્દ્ર ખૂલ્લું જરૂરી છે.
Trending
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
- રાજકોટ કેન્સર સોસાયટીમાં બાળકોમાં થતાં કેન્સરની રાહત દરે અપાતી સારવાર