Abtak Media Google News

રાષ્ટ્રસંત પૂજય નમ્રમૂનિ મહારાજ સાહેબના સાંનિધ્યે વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ પાવનધામમાં પ્રાંગણે ભવ્યતા અને દિવ્યતા પૂર્વક ભગવાન મહાવીરના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. દિવ્ય અવસરને ભાવિકોએ નૃત્યગાનની ભકિત કિર્તનો સાથે જન્મોત્સવનાં ભવ્ય વધામણા કર્યા હતા. આ પાવન પ્રસંગે માતા ત્રિશલાદેવીને આવેલા ૧૪ સ્વપ્નોની રજવાડી વણઝારનાં દિવ્ય દર્શને ઉદાર દિલ ભાવિકો સાડા ત્રણ કરોડનું અનુદાન આપીને મનમૂકીને વરસ્યા હતા. હજારો ગરીબ પરિવારોને મિષ્ટ અન્ન પીરસાયું હતુ અને પીંજારામાં પૂરાયેલા ૨ હજાર પક્ષીઓને ગગનમાં છોડવામાં આવ્યા હતા. પાંચમા દિવસનાં સંઘપતિ ઉર્મિલાબેન સુરેશભાઈ શાહ પરિવારના ચિંતનભાઈ શાહ દ્વારા અત્યંત અહોભાવ પૂર્વક કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.