Abtak Media Google News

પ્લાન્ટને સમયસર લીકવીડ મળી જાય તો તમામ જરૂરીયાતમંદ દર્દીઓને
ઓકિસજન સમયસર મળી જશે 

મોરબીમાં દૈનિક  65 ટન ઓકિસજન ઉત્પાદન થઈ શકે તેમાટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્લાન્ટ શરૂ થતાની સાથે જ હવે  દૈનિક 1000 સિલીન્ડર રીફીલીંગ થઈ શકશે. જેથી ઓકિસજન માટે બીજા જિલ્લાઓ પર નિર્ભર રહેવું નહી પડે આ માટે મોરબી સીરામીક એસોસીએશન હવે મેદાને આવ્યું છે. અને માત્ર  5-6 દિવસમાં  65 ટનની ક્ષમતા ધરાવતો ઓકિસજનનો પ્લાન્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે.

મોરબીમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ઓક્સિજનની તાતી જરૂરીયાત ઉભી થઈ છે ત્યારે મોરબી સીરામીક એસોસીએસનની ટીમના હોદેદારો દ્વારા રાત દિવસ એક કરીને અથાક પ્રયત્નો દ્વારા માત્ર 6-7 દિવસમા જ 65 ટનની ક્ષમતા વાળો ઓકિસજન પ્લાન્ટન ઉભો કરી દીઘો છે જેમા જરુરી પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ સેફટીનુ લાયસન્સ પણ સાંસદ મોહનભાઈ કુંડારીયાના પ્રયત્નોથી મળી ગયુ છે પરંતુ હવે આ પ્લાન્ટ માટે કેન્દ્ર સરકાર ઝડપથી લીક્વીડનો કોટો ફાળવી આપેતો આ પ્લાન્ટમા રોજના 1000 સીલીન્ડર ઓકિસજન રીફીલીંગ થઈ શકે તેમ છે.  વધુમાં મોરબીની અલગ અલગ સંસ્થાઓના કોવિડ સેન્ટર અને પ્રાઈવેટ હોસ્પિટલ વાળાઓને બીજા જીલ્લામા રીફીલીંગ માટે મોકલવામા આવતા ઓકિસજન સીલીન્ડરમા વઘુ સમય લાગે છે અને જે તે જીલ્લાના કલેક્ટરના આદેશ મુજબ પાબંદી હોવાથી અને મર્યાદિત કોટો હોવાથી મોરબીની અલગ અલગ સંસ્થાઓના કોવિડ સેન્ટર અને પ્રાઈવેટ હોસ્પિટલોને સમયસર ઓકિસજનના મળતા મોટી હેરાનગતિ થઈ રહી છે જેથી દદીઁઓની મુશ્કેલીમા વઘારો થાય છે. આ સંજોગોમાં જો આ પ્લાન્ટને સમયસર લીક્વીડ કોટો મળી જાય તો મોરબીના તમામ જરૂરીયાત વાળા દદીઁને સમયસર ઓકિસજન મળી રહેશે પરંતુ લીક્વીડનો કોટો સમયસર મળે એ ખુબ જ જરુરી હોય આગેવાનો દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.