દાંડિયા આમ તો સામાન્ય દાંડી જ છે જેનો ઉપયોગ માત્ર નવરાત્રી પૂરતો જ કરવામાં આવે છે તે પછી તો તે માળીયામાં ‘ઘા’ ખાય છે જો કે દાંડિયા પૌરાણિક કાલથી ચાલતા આવ્યા છે. જેનો સૌ પ્રથમ વખત ઉલ્લેખ હરિવંશ પુરાણમાં જોવા મળે છે, એ પછી તો બ્રહ્મપુરાણ, વિષ્ણુપુરાણ, અગ્નિપુરાણ તેમજ ભાગવતમાં પણ દાંડિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માટે જ પૌરાણીકનું સમયથી જ દાંડિયા થાક્યા વગર રાસ લેતા આવે છે. મધ્યપ્રદેશની ગ્વાલિયર પાસેની બાઘ ગુફામાં ચોથી અને પાંચમી સદીના કેટલાક ભીંતચીત્રો મળી આવ્યા છે જેમાં દાંડિયાનું પણ ચિત્ર છે. દાંડિયાના માપ-સાઇઝનું પ્રકાર વિશે લેખન ઇતિહાસના વિવિધ ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. જેમ કે ૧૬મી સદીના પંડિત પુંડરિક વિઢ્લે લખ્યુ છે દાંડિયા અંગુઠા જેટલા જાડા, સોળ ઇંચ લાંબા, ગાંઠ વગરના, આકારમાં સીધા હોવા જોઇએ. પરંતુ હવે તો ફેન્સી સ્ટિલનાં દાંડિયા પણ બજારમાં મળે છે.
Trending
- બ્રશ કર્યા પછી પણ દાંત પીળા થઈ જાય છે?
- ભુજ : લોકસભા ચૂંટણી અંતર્ગત લોક જાગૃતિ અર્થે મહેંદી સ્પર્ધાનું આયોજન
- ઘર હોય કે ઓફિસનું કામ, માઇક્રો બ્રેક જરૂરી
- ગોલ્ડી બ્રારની હત્યાની અફવાઓ પર પૂર્ણવિરામ
- ગુરુવારે કરો આ ઉપાયો, પ્રગતિના માર્ગ ખુલશે અને આર્થિક તંગી દૂર થશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….