Abtak Media Google News

દીવ દરિયાકિનારો ખૂબ જ ખૂબસૂરત છે,અને ત્યાં ના વાતાવરણ માં ખૂબજ શાંતિ અનુભવાય છે. હાલ વેકેસન પ્રિયડ ચાલી રહ્યો છે.તેથી લોકો વાકેસનની મજા માણવા દીવના દરિયા કિનારે ફરવા માટે જાય છે.માહિતી અનુસાર દીવના તમામ બીચો તેમજ દરિયામાં નાહવા પર પર્યાટકો તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પર્યટન સ્થળ દીવમાં જિલ્લા કલેકટર ફોરમન બ્રહ્માના આદેશ અનુસાર તા. 01 જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચો તેમજ દરિયામાં નાહવા પર પર્યાટકો તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાટકો બીચ પર હરીફરી શકશે, પરંતુ નાહવા કે દરિયામાં નહિ જઈ શકે. એને લઈને દીવ પોલીસ વિભાગ દ્વારા પર્યાટકો તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા અટકાવી રહ્યા છે.કલેક્ટરેના આદેશથી કલમ 144 લાગુ.

Diu

ચોમાસાની શરૂઆત થતી હોવાથી દરિયામાં વધુ પ્રમાણમાં કરંટ અને પવન સાથે મોટાં મોજાં થતા હોવાથી માનવ જિંદગીને દરિયામાં જવાનો ખતરો વધી જતો હોય છે. ત્યારે જિલ્લા કલેક્ટરે આ આદેશ જાહેર કરી કલમ 144 લગાડવામાં આવી છે. અને આ બાબતે કોઈ કાયદાનું ઉલ્લઘન કરશે તો IPC 188 અને 291 ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આમ જો કોઈ વ્યક્તિ દરિયામાં ન્હાતા પકડાશે તો તેમની સામે એફઆરઆઈ પણ દાખલ થઈ શકે છે.દીવ દરિયાકાંઠે પોલીસ સતત તહેનાત રહેશે

આમ તો કાયમી ધોરણે અહીં પોલીસનો પહેરો જોવા મળે છે. જો કે, હવેથી પોલીસ સ્ટાફ સતત તહેનાત રહેશે અને જો કોઈ પ્રવાસી છાને ખુણે દરિયા નજીક ઘૂસી નાહવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પણ પોલીસ પર્યટકો તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા અટકાવતી જોવા મળી રહી છે. જોકે, દીવમાં આવનારા પર્યટકો શહેરમાં આવેલા ઐતિહાસિક સ્થળોએ ઉપર હરીફરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.