શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા શહિદ ભગતસિંહજી ગાર્ડનમાં મહાપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બાળકોના મનોરંજન માટે મુકવામાં આવેલા મોટાભાગના સાધનોની હાલત હાલ ભંગાર જેવી થઈ ગઈ છે. લપસીયા, ઉચક-નિચક, હિંચકા, ચકરડી સહિતના સાધનો તુટી ગયા છે. આ તુટેલા સાધનો બાળકોને મનોરંજન પુરુ પાડવાના બદલે બાળકો માટે જોખમકારક બની ગયા છે. તાજેતરમાં શહિદ ભગતસિંહજીની જન્મજયંતિના દિવસે મહાપાલિકાના પદાધિકારીઓ અહીં ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવા ચોકકસ ગયા હતા પરંતુ એક પણ નેતાની નજર બગીચામાં તુટેલા રમત-ગમતના સાધનો પર પડી ન હતી. વર્ષે ગાળે બગીચાના સાધનો રીપેર કરાવવા અને નવા સાધનો મુકવા માટે લાખો ‚પિયાનો ખર્ચ મંજુર કરવામાં આવે છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ બાળકોના ભાગનું પણ મુકતા નથી અને તેમાંથી પણ વહિવટી કરી જાય છે. બગીચામાં મુકવામાં આવતા રમત-ગમતના સાધનો એકાદ બે માસ સુધી માંડ સાજા રહે છે ત્યારબાદ ભંગાર હાલતમાં ફેરવાઈ જાય છે. અમુક બગીચાઓમાં તો જુના સાધનોને રીપેરીંગ કરી, કલર કામ કરી નવા વાઘા પહેરાવી દેવામાં આવે છે અને ચોપડે ખર્ચ નવા સાધનો ખરીદયા હોવાનો પણ ઉધારવામાં આવતો હોવાની શંકા પણ દિન-પ્રતિદિન સબળ બની રહી છે.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ