Abtak Media Google News

અનંતનાગના બિજબેહરા વિસ્તારના થજીવારામાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન જારી

જમ્મુ-કાશ્મીર પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. અનંતનાગના બિજબેહરા વિસ્તારના થજીવારામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અગાઉ મંગળવારે એટલે કે 6 સપ્ટેમ્બરે પણ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા

Advertisement

અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અનંતનાગ જિલ્લાના પોશ્કરી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે બાદ આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરીને આતંકીઓને ઠાર કર્યા હતા.

એડીજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું હતું કે ગત દિવસે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ દાનિશ ભટ ઉર્ફે કોકબ દુરી અને બશારત નબી તરીકે થઈ છે. બંને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન એચએમ સાથે સંકળાયેલા હતા. બંને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન એચએમ સાથે સંકળાયેલા હતા અને બંને 29 મે 2021 ના રોજ બે નાગરિકોની હત્યામાં પણ સામેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.