Abtak Media Google News

આશિર્વાદ રિસોર્ટ પાસે નશાખોર કાર ચાલક અકસ્માત સર્જી ભાગ્યો અને થોડે દૂર કાર પલટી મારી ગઈ ,સીસીટીવી આધારે ચાલકની શોધખોળ

જામનગરમાં એક હિટ એન્ડ રનની ઘટના દશેરાની રાતે એટલે કે ગઈકાલે બની હતી જેમાં આશીર્વાદ રિસોર્ટ નજીક એક નશાખોર કાર ચાલકે સાથ રાહદારીઓને લેતા તેમની એક મહિલાનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય છ ને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંના ત્રણ લોકોની હજુ પણ હાલત ગંભીર હોવાનો સામે આવ્યું છે. બના અંગેની જાણ થતા પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતા નશાખોર કારચાલકની કાર આશીર્વાદ રિસોર્ટથી થોડે દૂર પલટી ખાધેલી હાલતમાં મળી આવી હતી.જ્યારે ચાલક ફરાર થતાં તેની સીસીટીવી આધારે શોધખોળ આદરી છે.

ગઈકાલ બુધવારની રાતેના આશીર્વાદ રિસોર્ટ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં એક આઇ 20 ના કાર ચાલકે સાત લોકોને અડફેટે લીધા છે. જેમાં આલીબેન નામના મહિલાનું મોત નીપજ્યુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે છ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમના ત્રણ લોકોની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, 7થી વધુ લોકો દરેડના રાંદલ માતાજીના મંદિર નજીક ચાલીને જતા હતા ત્યારે આઇ 20 ના નશાખોર કાર ચાલકે સાત લોકોને અડફેટે લઇને ફરાર થઇ ગયો હતો. જેમાં એક મહિલાનું કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી આ કારચા લખતી હતી ફરાર થયો હતો.પરંતુ તે નશા એ હાલતમાં હોવાથી આશીર્વાદ હોટલથી થોડી દુર જ તેની કાર પલટી મારી ગઈ હતી.જ્યારે પોલીસને ઘટના સ્થળે દોડી જતા તેને કાર મળી આવી હતી અને ચાલક ફરાર થયો હતો.જ્યારે આ અકસ્માતમાં આલીબેન નામના મહિલાનું મોત નીપજ્યું છે. હાલ ઘાયલોમાંથી પણ ત્રણ લોકોની હાલત નાજુક ગણવામાં આવી રહી છે. આ પોલીસ એસીસીટીવી આધારે ફરાર નસાખોર કાલચાલકની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.