જો વૃદ્ધાવસ્થામાં તમારા પેરન્ટ્સ કે ગ્રાન્ડ પેરન્ટ્સને સૂવામાં તકલીફ થતી હોય તો તેમને ખાટી ચેરીનો જ્યૂસ પીવા આપો. એમ કરવાથી તેમના સૂવાના કલાકો અને ક્વોલિટી બંનેમાં સુધારો થશે. અમેરિકાની લ્યુસિયાના સ્ટેટ યુનિ. એગ્રિકલ્ચરના નિષ્ણાતોનું કહેવું છે કે પચાસ વર્ષથી મોટી વયના લોકોને જો અનિદ્રાની સમસ્યા હોય તો ખાટી ચેરીનો જ્યૂસ આપવો જોઇએ. એમ કરવાથી એકથી બે કલાકની ઊંઘ વધે છે. અભ્યાસ દરમ્યાન ચેરીનો જ્યૂસ પીનારા વૃદ્ધોએ સરેરાશ ૮૪ મિનિટની ઊંઘ વધુ લીધી હતી. મોટા ભાગે લોકો ધારી લે છે કે પાછલી વયે ઊંઘ ઘટી જાય છે અને એ માટે ડોક્ટરને કન્સલ્ટ કરવાની કંઇ જરૂર નથી, જોકે અનિદ્રાના કારણે બીજા અનેક રોગો પાછલી વયે શરીરમાં ઘર કરી જાય છે. અભ્યાસ દરમ્યાન પાર્ટિસિપન્ટ્સને સવારે ઊઠીને અથવા તો સૂવાના એક-બે કલાક પહેલાં સતત ૧૪ દિવસ ચેરીનો જ્યૂસ આપવામાં આવ્યો હતો. નિષ્ણાતોના મતે ખાટા ફળમાં રહેલા પ્રોસાયાનિડિન નામના ઘટકના કારણે વૃદ્ધોમાં ઊંઘનો સમય અને ગુણવત્તા સુધરે છે.
Trending
- ગુજરાત માટે કાળો દિવસ ગણાતી કેટલીક દુર્ઘટનાઓ
- રાજકોટ અગ્નિકાંડ:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ઘટના સ્થળે પોહચી નિરીક્ષણ કર્યું
- રાજકોટના ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટનાસ્થળની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોએ ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી તથા વધુ વિશ્વાસે ના ચાલવું.
- ગેમઝોન અગ્નિકાંડ : સિવિલમાં 27 મૃતદેહોની ઓળખ મેળવવા માટે DNA ટેસ્ટ શરૂ
- રાજકોટ : TRP ગેમ ઝોન ખાતે આગ દુર્ઘટનામાં 27 લોકોની જિંદગી સાથે ગેમ રમાઈ
- રાજકોટ TRP આગકાંડ: અમેતો વેકેશનની મજા માણવા ગયા હતા અંજામ આવો આવશે તે ન’તી ખબર
- Divi’s Laboratories Q4નું પરિણામ: નફો સાથે ડિવિડન્ડ થયું જાહેર…