Abtak Media Google News

જો તમે ગુજરાતના સુરત અને અમદાવાદથી ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો તમારા માટે મોટા સમાચાર આવી રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, રેલ્વેએ સુરત અને અમદાવાદથી દોડતી ઘણી ટ્રેનોના સંચાલનને રદ કરવાનો નિર્ણય લીધો છે.

Advertisement

સમાચાર અનુસાર, ઉત્તર રેલવેના વારાણસી યાર્ડમાં રિમોડેલિંગના સંબંધમાં ઇન્ટરલોકિંગ ન થવાના કારણે આ ટ્રેનોનું સંચાલન રદ કરવામાં આવ્યું છે. જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ પણ બદલવામાં આવ્યા છે. તેથી મુસાફરી કરતા પહેલા તમારી ટ્રેનોની વિગતો તપાસો.

ટ્રેન નંબર 09065 : સુરત-છાપરા ક્લોન સ્પેશિયલ 11, 18, 25 સપ્ટેમ્બર અને 2, 9 ઓક્ટોબરના રોજ રદ રહેશે.

ટ્રેન નંબર 09066 : છપરા-સુરત ક્લોન સ્પેશિયલ 13, 20, 27 સપ્ટેમ્બર અને 4, 11 ઓક્ટોબરના રોજ રદ રહેશે.

ટ્રેન નંબર 00901 : સુરત-નારાયણપુર અનંત પાર્સલ સ્પેશિયલ 15, 22, 29 સપ્ટેમ્બર, 6, 13 ઓક્ટોબરના રોજ રદ રહેશે.

ટ્રેન નંબર 00902 : નારાયણપુર અનંત-સુરત પાર્સલ સ્પેશિયલ 17, 24 સપ્ટેમ્બર, 1, 8, 15 ઓક્ટોબરે રદ રહેશે.

ટ્રેન નંબર 19421 : અમદાવાદ-પટના એક્સપ્રેસ 24 સપ્ટેમ્બર, 1, 8 ઓક્ટોબરના રોજ રદ રહેશે.

ટ્રેન નંબર 19422 : પટના-અમદાવાદ એક્સપ્રેસ 26 સપ્ટેમ્બર, 3, 10 ઓક્ટોબરે રદ રહેશે.

ટ્રેન નંબર 09417 : અમદાવાદ-પટણા સ્પેશિયલ 18, 25 સપ્ટેમ્બર, 2 અને 9 ઓક્ટોબરે રદ રહેશે.

ટ્રેન નંબર 09418: પટના-અમદાવાદ સ્પેશિયલ 19, 26 સપ્ટેમ્બર અને 3 અને 10 ઓક્ટોબરે રદ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.