કાશ્મીરમાં બાંદીપુરાના હાજીનમાં સુરક્ષાદળોએ 5 આતંકીઓને ઠાર માર્યા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. અથડામણમાં બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કરના આતંકી લખવીનો ભાણિયો ઠાર મરાયો છે. લખવી લશ્કર-એ-તોઇબાનો આતંકી છે. લખવી 2008ના મુંબઈ બ્લાસ્ટનો આરોપી છે. અથડામણમાં IAF ગરુડનો એક જવાન શહીદ થયો છે, જ્યારે બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. કાશ્મીરના જકુરા વિસ્તારમાં આતંકીઓના હુમલામાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર શહીદ થઇ ગયા હતા અને એક પોલીસકર્મી ઘવાયો હતો. કારમાં સવાર ત્રણ આતંકીઓએ શ્રીનગર-ગંદરબાલ રોડ પર નિયુક્ત પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યુ હતું. તેમાં સબ ઇન્સ્પેક્ટર ઇમરાન ટાકનું ગોળી વાગવાને કારણે મોત થયું હતું જ્યારે એસપીઓ ઘવાયો હતો. જોકે, પોલીસે કારનો પીછો કરીને એક આતંકીને પકડી પાડ્યો હતો. બે આતંકીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. બંનેને ઝડપવા સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે.
Trending
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ
- હત્યાની કોશિશના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર ઇભલો મહારાષ્ટ્રથી ઝડપાયો
- ગાંધીગ્રામ વિસ્તારની સગીરાને ધાક-ધમકી આપી નરાધમે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું
- અમરેલી : બસ અચાનક પલ્ટી મારતા ગમખ્વાર અક્સ્માત સર્જાયો
- WWE રેસલર્સમાં ધ ગ્રેટ ખલી કરતાં પણ ઊચા છે આ રેસલર્સ
- અટલ સરોવર બુધવારથી લોકો માટે ખુલ્લુ મુકાશે: એન્ટ્રી ફી રૂ.25 રહેશે
- અમારી વિનમ્રતાને અમારી નબળાઇ સમજવાનું દુ:સાહસ કોઇ કરશો નહીં: માંધાતાસિંહજી જાડેજા