બાળકોએ કુમળા ફુલ જેવા હોય છે. તેને પંપાળી અને સમજાવીને જીદ કરતા અટકાવવા જોઇએ. પરંતુ ક્યારેક બાળકની જીદ એટલી હદે વધે છે કે તેને સમજાવવા હથિયાર અપનાવે છે. અને પહેલાંના જમાનાની કહેવત પણ હતી કે ‘સોટી વાગે ચમચમ વિદ્યા આવે સમસમ’ પરંતુ અત્યારની પેઢીના બાળકો માટેની તમામ વ્યાખ્યા અને બાળ મનોવિજ્ઞાનની થીયરી બદલી છે ત્યારે શાળામાં પણ વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડવાની મનાઇ આવી છે. ત્યાર ઘરે તોફાન જીદ કરતા બાળકને મારવું કેટલું યોગ્ય છે. તો આ બાબતે અનેક રુઢીવાદી લોકો ડિસીપ્લીન માટે બાળકોને માર મારે છે. ત્યારે બીજી બાજુઆ વિષય પર એક્સપર્ટનું કંઇક અલગ કહેવું છે તેઓનાં કહેવા પ્રમાણે આ વસ્તુ કે આવું બાળક સાથેનું વર્તન તદ્ન ખોટું છે તેમજ વૈજ્ઞાનિકોનું પણ કહેવું છે કે બાળકોને માર માારવોએ નુકશાનકારક સાબિત થાય છે. કારણ કે તેવા વર્તનથી બાળક સુધરવાના બદલે વધુ બગડે છે. ટેક્ષાસ યુનિવર્સિટીના એક અધ્યયન અનુસાર ૧૨,૧૧૨ બાળકોને લઇ એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના પરિણામ સ્વરુપ માર મારવા વચ્ચે ભલેને ગમે એટલો અંતરાલ આવે તેનું પરિણામ ખરાબ જ આવે છે. આમ બાળકોને માર મારવો એ અસરકારક ટેકનીક નથી. એનાથી બાળકોમાં વર્તનમાં જે પરિવર્તન આવે છે તે ભયાનક જ આવે છે એટલે બાળકોને માર મારવોએ સકારાત્મક નથી….
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ