Abtak Media Google News
  • તિરૂપતિ સોસાયટીમાં યુવતીએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ કર્યો આપધાત

આઈ એમ સોરી,હું આ કેમ કરું છું મને ખબર નથી, સીએ સુધી પહોંચી હવે હું મૂકી નથી શકતી, હવે મારાથી સહન નથી થતું – સ્યુસાઇડ નોટમાં લખી શહેરના કોઠારીયા રોડ પર તિરૂપતિ સોસાયટીમાં રહેતી અને સી.એ.નો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

Advertisement

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ, તિરૂપતિ સોસાયટી-1 માં રહેતી માનસી રાજેશભાઈ ગઢીયા નામની 21 વર્ષીય યુવતિએ આજરોજ સવારે પોતાના ઘરે રૂમમાં પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. સવારે પરિવારજનો જાગતા પુત્રીને આ સ્થિતિમાં જોઈ સ્તબ્ધ રહી, 108ને જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી જોઈ તપાસી યુવતીને મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. બનાવ અંગે ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનસ્થળે પહોંચી યુવતીએ લખેલી સ્યુસાઇડ નોટ કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથધરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મૃતક બે ભાઈની એકની એક બહેન હતી અને પિતા પાનની દુકાન ધરાવે છે. યુવતીએ અભ્યાસના ટેન્શનમાં પગલું ભરી લીધું હતું.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.