દ્વારકાધીશ જગતમંદિરમાં દર વર્ષની જેમ ધનુર્માસ દર્શનમનોરથના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. માગસર મહિનામાં સૂર્ય ધન રાશિનો રહેતો હોવાથી આ માસને ધનુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. શ્રી દ્વારકાધીશ જગતમંદિરના વારાદાર પુજારીની યાદી અનુસાર ધનુર્માસ ના ઉત્સવોને અનુલક્ષીને શ્રી દ્વારકાનાથજીના દર્શનના સમયમાં ફેરફાર થનાર હોવાનું મંદિરના વહિવટદારની યાદીમાં જણાવાયું છે. જે મુજબ તા.૧૮/૧૨/૨૦૧૮ને મંગળવારના રોજ મંગલાઆરતી સવારે ૫:૩૦ વાગ્યે, અનોસર (મંદિર બંધ) સવારે ૧૦:૩૦ કલાકે, તેમજ સાંજનો ક્રમ નિત્યક્રમમુજબનો રહેશે. તા.૨૦/૧૨/૨૦૧૮ને ગુરુવારના રોજ મંગલા આરતીસવારે ૫:૩૦ વાગ્યે, અનોસર (મંદિર બંધ) સવારે ૧૦:૩૦ કલાકે તેમજ સાંજનો ક્રમ નિત્યક્રમમુજબ રહેશે. તા.૩/૧/૨૦૧૯ને ગુરુવારના રોજ મંગલા આરતીસવારે ૫:૩૦ વાગ્યે, અનોસર (મંદિર બંધ) સવારે ૧૦:૩૦ કલાકે, સાંજનો ક્રમ નિત્યક્રમમુજબ રહેનાર છે. આ ઉપરાંત ધનુર્માસનાઅંતિમ દિન એટલે કે તા.૧૦/૧/૨૦૧૯ને ગુરુવારના રોજ મંગલા આરતી સવારે ૫:૩૦ વાગ્યે, અનોસર (મંદિર બંધ) સવારે ૧૦:૩૦ કલાકે તેમજ સાંજનો ક્રમ નિત્યક્રમમુજબ રહેનાર છે.
Trending
- શું..! રડવાના પણ અનેક ફાયદાઓ
- યાર…આ શોપિંગ અને રીલનું વ્યસન તો વધતું જ જાય છે
- કર્ણાટકમાં કલ્યાણ જ્વેલર્સમાં ગેસ બ્લાસ્ટની ઘટનામાં છ લોકો ઘાયલ
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા