આજરોજ સુરેન્દ્રનગર શહેરમાં વાસુ પુજય જૈન દેરાસરમાં આજે સવારથી જ જૈન નગરી સમાન ઉજવણીનો માહોલ છવાયો હતો ત્યારે સુરેન્દ્રનગર શહેરના વાસુ પુજન જૈન દેરાસરની આજે ૧૨૮મી વર્ષ ગાંઠ ઉજવણી થઇ રહી છે.

વાસુ પુજય જૈન દેરાસરમાં આજે મ.સા. વિતરાગ વલ્લભ સ્વામી દ્વારા પુજા કરાવવામાં આવેલ હતા જયારે ૧૨૮ વર્ષગાંઠ નીમીતે આજે ૧૨૮ વ્યકિતઓને પ્રદક્ષિણા આપવામાં આવેલ જયારે બપોરના સંઘ જમણ યોજવામાં આવેલ હતા.

ત્યારે આ કાર્યક્રમમાં જૈન ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને વાસુપુજન જૈન દેરાસરની ૧૨૮મી સાલગીરાની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.