Abtak Media Google News

સિંદુરની સાથે મંગળસૂત્ર પહેરવું એ સુહાગની નિશાની છે: સ્ત્રીઓના માથાનો આ ભાગ સંવેદનશીલ છે, અને તે જગ્યાએ સેથો કરવાથી તણાવ ઓછો થાય છે, અહીં એક વિશેષ ગ્રંથી હોય છે જેને આપણાં શાસ્ત્રોમાં બ્રહ્મારંધ્ર કહેવાયું છે

“એક ચૂટકી સિંદુર કી કિંમત તું કજાય જાને આ ફિલ્મ ડાયલોગ બહુ જ પ્રચલિત થયો હતો. ફિલ્મોમાં હિરો હિરોઇનને આ વિધી કરાવતા બતાવે છે. જાુના ફિલ્મ કે નવા ફિલ્મ હોય આજે પણ આવા દ્રશ્યો જોવા મળે છે જ

આપણાં પૌરાણિક શાસ્ત્રો ધર્મગ્રંથો  કે તહેવારો વ્રતોમાં કોઇ ચૌકકસ વૈજ્ઞાનિક કારણ જોડાયેલ છે. સામુદ્રિક શાસ્ત્રોમાં અભાગિની સ્ત્રીના દોષ નિવારવા માટે માથામાં સિંદૂર લગાવવાની સલાહ અપાય હતી, અમુક આપણી પરંપરા છે જે આજે પણ ચાલુ છે. આ અંગેના વૈજ્ઞાનિક કારણની વાત કરીએ તો માથા પર બરોબર વચ્ચે પાથીને સ્થ્ાને સિંદૂર કેમ, કપાળે ચાંદલો કેમ? શરીર રચનાની દ્રષ્ટિએ સેથાના સ્થ્ાને એક ખાસ પ્રકારની ગ્રંથી હોય છે. જેને બ્રહ્મારંધ્ર કહેવાય છે. ઉપરાંત સ્ત્રીના માથાનો આ ભાગ સંવેદન શીલ હોય છે. આ જગ્યાએ સેથો પૂરવાથી તણાવ ઓછો થાય અને મગજ સાથે જોડાયેલી બિમારીઓની સંભાવના ઘટી જાય છે, કેમ કે સિંદૂરમાં પારા નામની ઘાતુ પણ હોય છે.

પૌરાણિક કથાઓમાં સિંદૂર લાલ રંગના માઘ્યમથી માતા સીતા અને પાર્વનીનું ઉર્જાનું સ્થાન મનાય છે. આ કરવાથી પાર્વતી માતા અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપે છે. સિંદૂર સાથે મંગળસૂત્ર પણ મહિલાઓની સુહાગની નિશાની માનવામાં આવે છે. આ પ્રથાનો શાસ્ત્રોત્ક ઉલ્લેખ જોવા મળે છે. લોક વાયકા મુજબ ખોટો સેથો કરવો એ પતિ માટે દુર્ભાગ્ય લાવે છે. હિન્દુ ધર્મમાં સ્ત્રીઓના માથા પર સિંદૂર કે સેથો કરવો તે વિવાહીત અને સૌભાગ્યની નિશાની છે. વિવાહના સ્ત્રીના ૧૬ શણગાશો પૈકી એક સિંદૂર છે જે તેની અખંડ વિવાહિત હોવાની નિશાની છે.શાસ્ત્રો અને લોકવાયકાના જણાવ્યા મુજબ સેથો આડા અધળો કે વાળમાં છૂપાયેલો ન હોવો જોઇએ. શાસ્ત્રોના પ્રમાણ મુજબ માતા લક્ષ્મીનો પૃથ્વી પર પાંચ જગ્યાએ વાસ છે જેમાં પ્રથમ સ્થાન સ્ત્રીનું માથું છે. તેથી ત્યાં સિંદૂર લગાવવાથી શાંતિને સુખ રહે તે માટે આ આપણી પૌરાણિક યુગથી ચાલતી ધર્મ પરંપરા છે. જો કે આજે નવા જમાનામાં તો સેથો કે ચાંદલો જ નથી કરતાં પરંતુ આપણા શાસ્ત્રો જણાવે છે કે દિવાળી જેવા તહેવારે પતિ પોતાની પત્નીને માથા પર સિંદૂર લગાવે છે. અમુક રાજયોમાં આ પરંપરા આજે પણ જળવાય છે.

સિંદૂરમાં પારો હોવાથી તે ચામડી માટે ગુણકારી છે. ચામડી પર કરચલી નથી પડતી આપણાં ધર્મમાં આદીકાળથી આ પ્રથા ચાલી આવી છે. મહાભારત, રામાયણ જેવા પૌરાણિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે જેમાં સિતા માતા રોજ સિંદૂર લગાવતા જેને જોઇને હનુમાનજી એમને પૂછે છે કે આમ કેમ કરો છો ત્યારે માતા સિતા જવાબમાં ભગવાન રામને પ્રસન્નતાની વાત કરતાં હનુમાનજી પણ લગાવે છે. કદાચ એને કારણે જ આપણે તેના પર સિંદૂર ચડાવીએ છીએ આ વાત શાસ્ત્રોમાં ને લોકવાયકા પણ છે.

આપણે  આદિ માનવ હતા ત્યારે આવી કોઇ પરંપરા હતી નહી ત્યારે રિવાજો હશે પણ કુટુંબ પ્રથા શરૂ થઇને પરિવારનાં નિયમો બન્યાને ધર્મ સાથે જોડાયા હતા. ઋષિમુનિઓ દ્વારા ધીમે ધીમે આપતાં હિન્દુ ધર્મમાં ઘણા સંસ્કારો નિયમો બન્યા હતા. આમેય સ્ત્રીના જીવનમાં સિંદૂર માત્ર ધાર્મિક નહી વૈજ્ઞાનિક પણ મહત્વ છે. તેના જીવનના નવો અઘ્યાયનું, મહત્વના તબકકાનું જવાબદારીનું પણ પ્રતિક છે. સેથો સ્ત્રીના સૌભાગ્યની નિશાનીછે. રાધા-કૃષ્ણ, દેવ-દેવીઓ કે આજની ટીવી સિરીયલોની નાયિકાના શૃંગારમાં સેથાને મહત્વ અપાયું છે.

મહાભારતમાઁ પણ દ્રૌપદીએ ચિર હરણ સમયે ક્રોધે ભરાઇને પોતાના કપાળે લગાડેલ સિંદૂર ભૂંસી નાખે છે. સેથો એ સૌભાગ્ય સૂચક છે સાથે સાથે તે શકિતની દેવી પાર્વતીનું પ્રતિક છે. પ્રાચિનકાળમાં ફૂલોની માળા સાથે સાજ શથગારમાં સેથો પૂરવાનો રિવાજ હતો.

છેલ્લે છેલ્લે…….

નારીના સૌભાગ્યના પ્રતિક સમા સિંદૂર સેથાનું મહત્વ ર૧મી સદીમાં વધી રહ્યું છે. જેમાં ટેલીવુડ, બોલીવુડનો વિશેષ ફાળો છે. ખરેખર તો તેના વૈજ્ઞાનિક અભિગમને સમજવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.