Abtak Media Google News

મોરબી સીરામીક એસોસિએશનના હોદ્દેદારોએ આજે ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી સાથે વાયબ્રન્ટ સીરામીક એક્સ્પો અંગે શુભેચ્છા મુલાકાત યોજી રોજગારી અંગે મહત્વની ચર્ચા વિચારણા કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ આજે લખનઉ ખાતે ઉતરપ્રદેશ ના નાયબ મુખ્યમંત્રી શ્રી ડો.દિનેશ શર્મા સાથે મોરબી સિરામીક એસોશિએસન ના પ્રમુખ  નિલેષ જેતપરીયા અને ઓકટાગોન  ના  સંદીપભાઇ પટેલ તેમજ શૌરીન બાસુ અને મીત શાહ વગેરે ટીમે  રૂબરૂ મળી અને ગાંધીનગર ખાતે યોજાનાર વાયબરન્ટ સિરામીક એક્સપો – સમીટ -૨૦૧૭ મા આવવા માટે  આમંત્રણ આપ્યું હતું અને સાથો-સાથ મોરબીના સિરામીક ઉધોગ વિશે અને મોરબી એક રોજગારી માટેનુ મોટું હબ છે ત્યારે ઉતરપ્રદેશ થી આવતા કારીગરો ને રોજગારી માટે પણ તકો વિશે ચર્ચા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.