Abtak Media Google News

સગીરાના અપહરણના ગુનામાં જસદણના શખ્સે બાથરૂમમાં ગળાફાંસો  ખાઈ જીવન ટુંકાવ્યું

હળવદ પંથકની સગીરાને લગ્નની લાલચે અપહરણ કરવાના કેસના આરોપીએ ગત મોડી રાત્રે મોરબીની સબજેલમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સબજેલમાં મોડીરાત્રે કાચા કામના આરોપી વિશાલ ગોબરભાઈ ચોવસિયા નામના યુવાને બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા જેલ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આપઘાત કરનાર આરોપી વિશાલ મૂળ જસદણ પંથકનો રહેવાસી હોવાનું અને હળવદ પંથકની સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયા બાદ આરોપી વિરુદ્ધ પોકસો અને એટ્રોસીટી મુજબ ગુન્હો નોંધાતા તાજેતરમાં જ ભોગ બનનાર અને આરોપી ઝડપાઇ ગયા બાદ વિશાલને કાચા કામના કેદી તરીકે મોરબી સબજેલમાં મોકલી અપાયો હતો જ્યાં તેને ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવને પગલે જેલતંત્રમાં દોડધામ મચી ગઇ છે અને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધ કરાવવા તજવીજ હાથ ધરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.