Abtak Media Google News

પીએમ મોદી અને ઉપરાષ્ટ્રપતિ ધનખરેજીએ સર્વ ધર્મ પ્રાર્થનામાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક અને જાણીતા જૈન આચાર્ય ડો.લોકેશમુનિજી એ મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ અને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ નિમિત્તે અહિંસા અને શાંતિનો સંદેશ આપ્યો હતો. ગાંધી સ્મૃતિ પર આયોજિત સર્વ ધર્મ પ્રાર્થના દરમિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરેજી એ  મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસનો સંદેશ વાંચવામાં આવ્યો હતો.આ પ્રસંગે અનેક કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ, ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિના ઉપાધ્યક્ષ વિજય ગોયલજી, કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આચાર્ય ડો.લોકેશજીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 153મી જન્મજયંતિ નિમિત્તે આપણે સૌ સંકલ્પ લઈએ કે સત્ય, અહિંસા, સદભાવના, સમાનતા, એકતા, સ્વચ્છતા જેવા આદર્શો આપણા જીવનમાં સમાવિષ્ટ થાય. મહાત્મા ગાંધી જૈન ધર્મથી ખૂબ પ્રભાવિત હતા. ગાંધીજીએ જૈન ધર્મના અહિંસા, સદભાવના, સત્ય અને અનાધિકારના સિદ્ધાંતોને સમજ્યા, તેમને તેમના જીવનમાં લાવ્યા અને જનસામાન્ય સુધી લઈ ગયા.આચાર્ય ડો.લોકેશજીએ જણાવ્યું હતું કે, માણસ જન્મથી નહીં પણ કર્મોથી મહાન હોય છે. ઉત્કૃષ્ટ કાર્યોની હિમાયત કરતાં તેમણે કહ્યું કે પોતાનાં કર્મોથી માણસ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.