Abtak Media Google News

ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સોમવારે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં કુલભૂષણ જાધવનો મામલામાં ભારતનો પક્ષ જાણીતા એડવોકેટ હરીશ સાલ્વે મૂકી રહ્યા છે.કુલભૂષણ જાધવની ફાંસીના મુદ્દે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં ભારતનો પક્ષ મુકનારા એડવોકેટ હરીશ સાલ્વેની ટીકા કરવામાં આવી રહી છે. જેના પગલે સરકાર તરફી સ્પષ્ટતા કરવામાં આવી છે કે હરીશ સાલ્વે ફી તરીકે માત્ર ૧ રૂપિયો લઈને જ કેસ લડી રહ્યાં છે.

આ પૂર્વે સરકારને સવાલ કરવામાં આવ્યો હતો કે શું ભારત તેનાી ઓછી ફી લેનારા કોઈ એડવોકેટને રાખી શકે તેમ ન હતી. હરીશ સાલ્વેએ ઈંઈઉં માં ભારતનો પક્ષ મુક્તા કહ્યું હતું કે જાધવનું ઈરાની અપહરણ કરવામાં આવ્યું છે. તેમજ સૈન્ય પર દબાણ વધારીને તેની જોડે જબરજસ્તી નિવેદન લેવવામાં આવ્યું હતું. તેની જોડે જબરજ્સ્તી જાસુસીની વાત કબુલ કરાવવામાં આવી હતી. આ કિસ્સામાં માનવઅધિકારનો ભંગ કરવામાં આવ્યો છે.

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સોમવારે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં કુલભૂષણ જાધવ મામલે ભારતીય પક્ષની દલીલ કરવા બદલ જાણીતા એડવોકેટ હરીશ સાલ્વેએ સરકાર સામે પક્ષ રાખ્યો છે. સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને કહ્યું કે આ યોગ્ય ની હરીશ સાલ્વે આ મામલા પોતની ફી તરીકે માત્ર એક રૂપિયો જ લેશે. તેમની ટ્વીટ સંજય ગોયલ નામના એક વ્યક્તિના જવાબમાં આવી છે

સંજય ગોયલે સવાલ કર્યો હતો કે દેશના હરેશ સાલ્વેી ઓછી ફરી લેનારા કોઈ એડવોકેટ ની. જાધવના કિસ્સામાં સાલ્વે ઈંઈઉં માં ભારતના વકીલ છે. પાકિસ્તાનની એક અદાલતે જાધવને જાસુસીના કેસમાં ફાંસીની સજા સંભળાવી હતી. જેની વિરુદ્ધ ભારતે ઈંઈઉં માં કેસ દાખલ કર્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.