Abtak Media Google News

શિવનગરમાં રહેતાં અર્જુન સરવૈયા પર કારમાં ઘસી આવેલા અજાણ્યાં શખસો તૂટી પડ્યા: ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો

શહેરમાં નજીવી બાબતે મારામારીની ઘટનાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે ત્યારેદસાઈડ કાપવા મામલે સમાધાન થયાં બાદ ગ્રીનલેન્ડ ચોકડી પાસે કારમાં ઘસી આવેલા દસ શખ્સોએ યુવક પર ધોકા-પાઈપથી હુમલો કરતાં યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયો છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર-4માં રહેતાં અર્જુનભાઇ ભુપતભાઇ સરવૈયા (ઉ.વ.30) ગઈકાલે રાત્રીના પોતાની ઘરે હતો ત્યારે તેના નાના ભાઈ દર્શનનો ફોન આવ્યો હતો કે, તેને કોઈ અજાણ્યાં કાર ચાલક સાથે સાઈડ આપવા મામલે કુવાડવા રોડ પરના ડી-માર્ટ પાસે માથાકૂટ થઈ છે. જેથી તેઓ બનાવ સ્થળે પહોંચી બંને વચ્ચે સમાધાન કરાવી પોતે ગ્રીનલેન્ડ ચોકડી પાસે બેસવા માટે ગયા હતાં.

તે દરમિયાન વાહનોમાં ઘસી આવેલા દસ થી બાર અજાણ્યાં શખ્સોએ ઝઘડો કરી ધોકા-પાઈપથી બેફામ મારમારી નાસી છૂટ્યા હતાં. ઇજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી. ડિવિઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.