Abtak Media Google News

વર્તમાન પરિસ્થિતિને લઈ શહેરમાં આવતીકાલે યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અને અડાલજના ત્રિમંદિર ખાતે યોજાનારી જનસંકલ્પ રેલી મુલતવી રહી છે. આ બેઠક અને રેલીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહેવાના હતા.

આ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ 28 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અને રેલી સુરક્ષા કારણોસર મુલતવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.