Abtak Media Google News

યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, પરસોતમ રૂપાલા સહિતના સ્ટાર પ્રચારકોનો ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં અલગ અલગ ચાર સ્થળોએ ચુંટણી સભા ગજવશે. આ ઉપરાંત યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ અને પરસોતમભાઇ રૂપાલા સહિતના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ઝંઝાવાતી ચુંટણી પ્રચાર કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આજે સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે અને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે જંગી ચુઁટણી સભા સંબોધી હતી. બપોર બાદ તેઓ જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને સાંજે કચ્છના ભુજમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી સભા યોજાશે આ ઉપરાંત ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે સંખેડા, મહેમદાવાદ અને પોરબંદરમાં ચુંટણી સભા સંબોધશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ સુરતમાં વિવિધ સમાજના લોકો અને સંસ્થાઓના પ્રતનિધિઓ સાથે વાર્તાલાપ કરશે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા પણ રાત્રે 8 કલાકે જામનગર દક્ષિણ મત વિસ્તારમાં ચુંટણી સભા યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.