Abtak Media Google News

6 દિવસની ફૂલ જેવી કોમળ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ : પોલીસે સીસીટીવી આધારે નિષ્ઠુર માતાની શોધખોળ હાથ ધરી

કહેવાય છે કે ભગવાન કૃષ્ણ ને પણ માતૃ પ્રેમ મેળવવા માટે માનવ અવતાર લેવો પડ્યો હતો.જ્યારે મા ની વિશે ગુજરાતીમાં એક કહેવત ખૂબ જાણીતી છે. મા એ મા બીજા બધા વગડાના વા જે મા ની તુલના કોઈ સાથે કરી શકાય એમ નથી. પરંતુ ક્યારેક કોઈ કઠોર માંતા તેના માતૃપ્રેમને ભૂલી જઇ અને નવજાત જન્મેલા પોતાના જ શિશુને ત્યજી દે છે.ત્યારે આવો જ એક

કિસ્સો શહેરના રૂખડીયા પર આ વિસ્તારમાં સામે આવ્યો છે જ્યાં રેલવે સ્ટેશન નજીક કોઈ માતાએ પોતાની નવજાત બાળકીને મંદિર નજીક ત્યાંથી ભાગી ગઈ હતી. આ બાળકીનું રડવાનું કોઈ સ્થાનિકના કાને પડતાં તેને આ બનાવની જાણ પોલીસને કરી હતી

બનાવની જાણ પોલીસને થતા પોલીસે 108 ની ટીમને જાણ કરતા 108 ની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બાળકીને તપાસી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે,ત્યજી દીધેલી બાળકી આશરે 6 દિવસની છે અને હાલ તેની તબિયત સ્વસ્થ છે.જ્યારે બાળકીના શરીર ઉપર કોઈપણ ઇજાના નિશાન જોવા મળ્યા ન હતા.

હાલ પોલીસે સીસીટીવી આધારે તપાસ કરી નિષ્ઠુર માતા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે જો બાળકી બાળકી ત્યજી દીધેલી હતી ત્યારે કોઈ જનાવર તેની પાસે આવી તેને ફાડી નાખત તો મોટી ઘટના બનવા પામી હોત પરંતુ કોઈ સ્થાનિકે તેને જોઈ લેતા તુરંત જ પોલીસ અને 108 ને જાણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.