Abtak Media Google News

મધર્સ ડેના પર કરુણ ઘટના

તંત્ર દ્વારા રાખેલા ‘અનામી પારણા’માં ત્રણ દિવસની માસુમ બાળકીને ત્યજી દીધી

રાજકોટ સહિત દેશી દેશમાં ગઇ કાલે મધર્સ ડેની ઉજવણી થઈ રહી હતી. તો બીજી તરફ માતાના સબંધને દાગ લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં નિષ્ઠુર જનેતાએ માત્ર ત્રણ દિવસની માસુમ બાળકીને ત્યજી દીધી હતી. તેને નવજાત શિશુને સિવિલ હોસ્પિટલમાં આવેલા અનામી પારણામાં તરછોડી દીધી હતી.

આ અંગેની મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા મોડી રાત્રિના સિવિલ હોસ્પિટલના કે.ટી. ચિલ્ડ્રન વોર્ડમાં આવેલા અનામી પારણામાં ત્રણ દિવસનું નવજાત શિશુ મળી આવ્યું હતું. આ માસુમ બાળકને કોઈ તર છોડીને જતું રહ્યું હોવાથી તબીબે માસુમ બાળકને એનઆઇસીયુ વોર્ડમાં દાખલ કરી તેની સારવાર શરૂ કરી હતી અને રીટ્રોગેટ એમએલસી કરાવી પોલીસમાં જાણ કરી હતી.

એક તરફ ઠેર ઠેર મધર્સ ડેની ઉજવણી ચાલી રહી હતી. તો બીજી તરફ કોઈ નિષ્ઠુર જનેતા પોતાના કાળજા સમાન બાળકને સિવિલમાં તરછોડીને જતું રહેતા તેના પર ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે. પ્રનગર પોલીસ મથકના સ્ટાફે આ અંગે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.