Abtak Media Google News

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ સેવા સમાજ સંચાલિત સરસ્વતી શિશુમંદિર મારૂતિનગર ખાતે આર.ટી.ઓ કચેરી દ્વારા અકસ્માત નિવારણ માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. આ સેમિનારમાં રાજકોટ ટ્રાફિક સુરક્ષા શાખાના ચિરાગભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને વાહન વ્યવહાર અંગેનાં વિવિધ પ્રતિકો, ચિહ્નો, આકૃતિઓ વગેરેની સમજણ આપી અકસ્માતથી બચવા માટેના ઉપાયો સૂચવ્યા હતા.

Advertisement

આ પ્રસંગે પ્રધાનાચાર્ય હરિકૃષ્ણભાઈ પંડ્યાએ પણ વિદ્યાર્થીઓને ટ્રાફિક અને માર્ગ વ્યવહાર વિશે શીખ આપી ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીશ્રીનો શાબ્દિક સત્કાર તથા સંચાલન ડો રમેશભાઈ પીઠિયાએ કર્યું હતું અને વિદ્યાર્થી હિત ઉપયોગી સેમીનારને સફળ બનાવવા માટે સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે સૌને બિરદાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.