Abtak Media Google News

બેન્કના ચેરમેન અને વાઇસ ચેરમેન બીનહરીફ ચુંટાયા.

રાજકોટ નાગરીક સહકારી બેંક લી. માં આગામી તા. ૨૦૧૮-૧૯ માટે ચેરમેન તરીકે નલીનભાઇ વસા અને વાઇસ ચેરમેન તરીકે જીવણભાઇ પટેલ બીનહરીફ ચુંટણી થઇ છે.

તેમજ ગત તા. ર૯ -૯ ને શનિવારે રાજકોટમાં અરવિંદભાઇ મણીઆર નાગરીક સેવાલય માં ડેલીગેટસોની યોજાયેલી વાર્ષિક સાધારણ સભા બાદ તુરત બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સની સભા યોજાઇ હતી. જેમાં આ બન્ને સૂત્રધારો સર્વાનુમતે બીનહરીફ નિયુકત થયેલા જાહેર કરાયા હતા.

Advertisement

નલીનભાઇ વસા સહકારી ક્ષેત્રનો બહોળ અનુભવ ધરાવે છે. તેઓએ ૧૯૯૫-૧૯૯૯ સુધી નાગરીક બેંકના ડીરેકટર તરીકે સેવા આપી હતી. ત્યારબાદ ૨૦૧૨ થી ૨૦૧૫ સુધી બેન્કના વાઇસ ચેરમેન તરીકે અને ૨૦૧૫ થી ચેરમેન તરીકે સેવા આપી હતી.

જીવાભાઇ પટેલ સહકાર ઉ૫રાંત વિવિધ ક્ષેત્રોમાં સક્રિય યોગદાન આપે છે. તેઓ ર૦૦૪ થી નાગરીક બેંન્કમાં ડીરેકટર ૨૦૧૫ થી વાઇસ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે.

નવનિયુકત બંને મહાનુભાવો ઉપર સહકારી ક્ષેત્રના કાર્યકરો સમાજના આગેવાનો અને શુભેચ્છાઓનો ઘોઘ વરસી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.