રશિયા યુક્રેન હાલ ભારતની મધ્યસ્થી વિના પૂર્ણ ન થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વડાપ્રધાન મોદીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે જ્યાં સુધી યુદ્ધ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કોઈ દેશને તેનાથી ફાયદો નહીં મળે ઉલટુ બધાએ નુકસાની નો સામનો કરવો પડશે. એક તરફ કોરોના ની કપરી પરિસ્થિતિ બાદ જે રીતે અર્થવ્યવસ્થા સ્થિર થતી હતી ત્યારે રશિયા યૂક્રેન ની યુદ્ધની સ્થિતએ બધાજ પાસોઓ ઉલ્ટા કરી દીધા છે.
વડાપ્રધાન મોદીએ જર્મનીના લોકો સાથે સંપર્ક સાધતાં જણાવ્યું હતું કે ભારતમાં છેલ્લા ત્રણ દસકા માં જે રાજકીય અસ્થિરતા જોવા મળી હતી તેને એક બટન થી દૂર કરવામાં આવી છે. સાથોસાથ તેઓએ જણાવ્યું હતું કે તેમણે જે ભારતના લોકો વસતા છે તેનાથી દેશની ઉન્નતિ શક્ય બને છે અને આવનારા સમયમાં પણ દરેક ભારતીય અને ભારતીય હોવાનું ગૌરવ પણ થશે.