Abtak Media Google News

Table of Contents

પ્રાણી અને વનસ્પતિ આપણી ઇકોલોજીકલ સિસ્ટમમાં આવશ્યક ભૂમિકા ભજવે છે: વિશ્વમાં 30 હજારથી વધુ પ્રજાતિઓ તેનું અસ્તિત્વ ટકાવવા ઝઝુમી રહી છે: એક તારણ મુજબ એક મિલિયનથી વધુ પ્રાણી અને વનસ્પતિની પ્રજાતિઓને લુપ્ત થવાનો ભય રહ્યો છે

પૃથ્વીનું સંવર્ધન કે અસ્તિત્વ આ પ્રાણીઓ અને વનસ્પતિઓ પર નિર્ભર છે, આપણે જંગલોનો નાશ કરીને પર્યાવરણ બગાડયું સાથે જીવસૃષ્ટિનો પણ નાશ કર્યો  જેના કારણે ગ્લોબલ વોમિંગ જેવી વિકટ સમસ્યા વિશ્ર્વમાં પેદા થઇ છે. ઋતુ ચક્રોમાં થયેલા ફેરફાર આવા જ અન બેલેન્સની દેન છે. આજે વિશ્ર્વમાં બહુ ઝડપથી પ્રાણીઓ અને વનસ્પતિની પ્રજાતિઓ લુપ્ત થઇ  રહી છે. આજે આપણે સૌએ જીવજંતુ – પ્રાણીઓ – વનસ્પતિઓને બચાવવા જાગૃતિ લાવવી આપણે ભાવી પેઢીને હરિયાળું વિશ્ર્વ આપવું જ પડશે.

સંયુકત રાષ્ટ્રે ર0 ડિસેમ્બર 2013માં પોતાના 68માં સત્રમાં વિશ્વ વન્યજીવન દિવસ ઉજવવાનું નકકી કર્યુ હતું. આ અગાઉ પણ વન્ય જીવોના વિલુપ્ત થતા રોકવા માટે સૌથી પહેલા 1872માં જંગલી હાથી સંરક્ષણ અધિનિયમ પસાર કરાયો હતો. છેલ્લા 9 વર્ષથી દર વર્ષે વન્ય જીવન સંરક્ષિત કરવાના અને લોકોને જાગૃત કરવા હેતુથી આજના દિવસે વિવિધ સેલીબ્રેશન થાય છે. પૃથ્વી પર કાયમ જીવન ધબકતું રાખવા માટે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિઓ હોવી જરુરી છે. તેના વગર આપણું જીવન શકય જ નથી. જંગલો અને પ્રાણીઓ થકી જ આપણું હ્રદય સતત ધબકી રહ્યું છે.

પૃથ્વીનું સંવર્ધન કે અસ્તિત્વ આ પ્રાણીઓ અને વનસ્પતિઓ પર નિર્ભર છે: માનવ સંસ્કૃતિનો શ્રેષ્ઠ વિકાસ વૃક્ષો – પ્રાણીઓ અને પાણી વચ્ચે જ થયો છે: જંગલો આપણી સંસ્કૃતિ છે, જંગલોનું ધરેણું એટલે વન્ય સૃષ્ટિના પ્રાણીઓ અને વનસ્પતિઓ

1872માં જંગલી હાથી સંરક્ષણ અધિનિયમ પસાર કરીને વન્ય જીવોને વિલુપ્ત થતા રોકવા માટે સૌથી પ્રથમ પહેલ કરી હતી: સંયુકત રાષ્ટ્રે 2013 થી વિશ્ર્વ વન્ય જીવન દિવસ ઉજવવાનું નકકી કયુ હતું

દર વર્ષે અપાતા સુત્રમાં આ વર્ષે ‘ઇકો સિસ્ટમ પુન: સ્થાપન માટે મુખ્ય પ્રજાતિઓને પુન: પ્રાપ્ત કરવી’ આપેલ છે જેનો અર્થ જ કેટલીક જોખમી જંગલી પ્રજાતિઓ અને વનસ્પતિઓને બચાવવી હાલ વિશ્ર્વની તેમની 8400 થી વધુ પ્રજાતિઓ ગંભીર રીતે જોખમમાં છે. પ્રાણીઓ અને વનસ્પતિ આપણી ઇકોલોજીકલ સિસ્ટમમાં આવશ્યક ભુમિકા ભજવે છે. તે ટકાઉ વિશ્ર્વના વિકાસના સામાન્ય, સામાજીક, આર્થિક, વૈજ્ઞાનિક, શૈક્ષણીક અને માનવ સુખાકારીમાં યોગદાન આપે છે.

માનવ સંસ્કૃતિનો શ્રેષ્ઠ વિકાસ વૃક્ષો – પાણીને પ્રાણીઓ વચ્ચે જ થયો છે જેમાં નાઇલ નદીની સંસ્કૃતિ સિંધુ નદીની આસપાસની સંસ્કૃતિ સાથે પર્યાવરણથી લથબથ આફ્રિકાના વિશાળ જંગલોમાં જોવા મળે છે. સૃષ્ટિ ઉપર તમામ પોતાના પર્યાવરણમૉ રહેઠાણમાં રહેવાનો અધિકારી છે પણ કાળા માથાના માનવીએ જંગલોના નાશ સાથે તથા શિકાર કરીને વન્ય સૃષ્ટિનો પણ નાશ કરતાં પૃથ્વીનું અસ્તિત્વ જોખમમાં મુકયું છે. એ જ આપણાં જીવન સાથી છે. ત્યારે તેની ગેરહાજરી આપણું જીવન પણ ટુકાવશે.

આપણાં દેશની વાત કરી એ તો વાઇલ્ડ લાઇફ સેન્ચુરીની ટોપ ફાઇવમાં ઉત્તરાખંડમાં આવેલ જિમ કોર્બેટ નેશનસ પાર્ક, રાજસ્થાનનું રક્ષ થંભૌર નેશનલ પાર્ક, બાંધવ ગઢ અભ્યારણ – મઘ્યપ્રદેશ, આસામાજીક કાજીરંગા નેશનલ પાર્ક અને બંગાળનું સુંદર વન રાષ્ટ્રીય ઉદ્યાન  છે. જેમાં ઉત્તરાખંડનું સૌથી જાુનુ ગણવામાં આવે છે. આ પાર્કમાં વાઘ, હાથી, દિપડા, હરણ, જંગલી સુઅર, વાંદરા, શિયાળ, રીંછ, ગેંડા, વિગેરે પ્રાણીઓ સાથે અલભ્ય એવા વૃક્ષો પણ જોવા મળે છે. યુનેસ્કોની વિશ્ર્વ વિરાસતમાં આપણું કાજી રંગા પાર્કનો સમાવેશ થયો છે.

પૃથ્વી આપણી સાથે ઘણા વન્યજીવનનું પણ આશ્રય સ્થાન છે. વન્ય જીવન પર્યાવરણને સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તેથી આ જીવોનું સંરક્ષણ કરવું ખુબ જ જરુરી છે. જંગલો કપાતા વન્ય જીવોને નુકશાન સાથે તેના વિસ્તારોમાં મનુષ્યોની સતત દખલગીરી ને કારણે ઘણી અલભ્ય પ્રાણી સૃષ્ટિ નાશ પામવા લાગી છે. તેના શિકારને કારણે આપણી ઇકો સીસ્ટમને ભયંકર નુકશાન થયું છે. આ બધાના ગંભીર પરિણામો આપણે સૌએ આવનારા દિવસોમાં જોવા પડશે ને ભોગવવા પણ પડશે. આજે વૈશ્ર્વિક લેવલે શહેરીકરણ, વન્ય જીવોનો શિકાર અને તેના નિવાસ સ્થાનનો વિનાશ જેવા મુદ્દાઓ ઉઠી રહ્યા છે.

જંગલો આપણી સંસ્કૃતિ છે, જંગલોનું ધરેણું એટલે વન્ય સૃષ્ટિ પ્રાણીઓ અને વનસ્પતિઓ તે પ્રકૃત્તિની અમુલ્ય ભેટ છે તે ઓકિસજન લેવલ, દવાઓ, ખોરાક તથા જમીનની ફળ દ્રુપતામાં મદદરુપ થાય છે. આ પ્રજાતિને બચાવવા માટે આજના દિવસનું મહત્વ વિશેષ છે. યુ.એન. ના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 1-2- 12-13 અને 1પ માં પણ આ અંગેની નોંધ જોવા મળે છે. આજે જે પ્રાણીઓ – પક્ષીઓ લુપ્ત થવા જઇ રહ્યા છે. તેને કેમ બચાવવા, સંવર્ધન કરવું જેવા મુદ્દા સાથે દરેક પૃથ્વી વાસીએ ચિંતા – ચિંતન સાથે સક્રિય કાર્ય કરવું પડશે.

લુપ્ત થતી પ્રાણી સૃષ્ટિને વનસ્પતિઓ કેમ બચાવવી તેના કાર્યોમાં લક્ષ્ય હાંસીલ કરવા સતત અને સક્રિય કાર્ય ચાલુ રાખવા માટે પણ આજે સૌને હાંકલ કરે છે. વન્ય જીવ અપરાધ, માનવ પ્રેરીત પ્રજાતિઓના ઘટાડા સામેની લડત આગળ વધારવી જરુરી છે.

“જૈવ વિવિધતાની ખોટએ લોકો અને ગ્રહ માટે

અસ્તિત્વનો ખતરો છે. વન્ય જીવોની પ્રજાતિઓનું

સતત નુશાન સમગ્ર જીવસૃષ્ટિ ને નબળુ કે વિનાશ

તરફ લઇ જશે તેવો ગંભીર ઇશારો છે”

“’2020 પછી એક મજબૂત વૈશ્ર્વિક જૈવ વિવિધતા ફેમ વર્કને અપનાવવા અને પૃથ્વીવાસીઓ સામાન્ય ભવિષ્યને સુરક્ષિત કરવાના તમામ કાર્યો વિશ્ર્વ એકઝુટ થઇ કાર્ય કરે’

ભારતની ટોપ ફાઇલ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી

  • જિમ કોર્બેટ નેશનલ પાર્ક – ઉત્તરાખંડ
  • રણ થંભૌર નેશનલ પાર્ક – રાજસ્થાન
  • બાંધવગઢ અભ્યારણ – મઘ્યપ્રદેશ
  • કાજીરંગા નેશનલ પાર્ક – આસામ
  • સુંદર વન રાષ્ટ્રીય ઉદ્યાન – પશ્ચિમ બંગાળ

લુપ્ત થતી પ્રાણી સૃષ્ટિ બચાવીને ઇકોસિસ્ટમને પુન: સ્થાપન કરો

આજે ભારત સહિત વિશ્ર્વમાં જંગલી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિની કેટલીક અત્યંત જોખમી પ્રજાતિઓની સંરક્ષણ બાબતે વૈશ્ર્વિક સ્તરે પૃથ્વીવાસીઓનું ઘ્યાન કેન્દ્રીક કરવા આજનો દિવસ ઉજવાય છે. છેલ્લા 9 વર્ષથી સમગ્ર વિશ્ર્વ આ બાબતે જાગૃત થયું છે. જે એક સારી બાબત છે. જંગલી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિની 8400 થી વધુ પ્રજાતિઓ ગંભીર રીતે જોખમમાં છે તે ઉપરાંત બીજી 30 હજારથી વધુ પ્રજાતિઓ ખુબ જ સંવેદનશીલ સાથે જોખમમાં તેનું અસ્તિત્વ ટકાવવા જજુમી રહ્યા છે.

વન્ય શાસ્ત્રી તથા પ્રાણી શાસ્ત્રીઓના તારણ મુજબ એક મિલિયનથી વધુ પ્રજાતિઓને લુપ્ત થવાનો ભય રહ્યો છે. 2022માં વિશ્ર્વ વન્ય જીવન બાબતે ગંભીર રીતે , ભયંકર પ્રજાતિઓના લુપ્ત થવાના પરિબળોને ઉલટાવી દેવાની સાથે તેમને તેનું મુળ પર્યાવરણ, આવાસો, ખોરાક વિગેરે મળી રહે તેવી વ્યવસ્થા પુન: સ્થાપન કરવા માટેના વૈશ્ર્વિક કાર્ય પર ભાર મુકે છે. લુપ્ત  થતી પ્રજાતિઓના રહેઠાણ સાથે તેની ઇકોસિસ્ટમનું સતત નુકશાન આપણાં સહિત પૃથ્વી પરના તમામ જીવનો જોખમમાં મુકે તેમ હોવાથી આપણે તેના પુન: સ્થાપન માટે હવે જરુરી પગલા ભરવા પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.