Abtak Media Google News

ગાંધીધામ સમાચાર

બાગેશ્વર ધામથી પધારેલ ધીરેન્દ્રક્રિષ્ણ શાસ્ત્રીજી પાતળિયા હનુમાન મંદિરે દર્શન કરવા પધાર્યા  હતા . ગાંધીધામ મધ્યે શ્રી બાગેશ્વરધામ સેવા સમિતિ કચ્છ દ્વારા પાંચ દિવસીય  હનુમંત કથા અને દિવ્ય દરબારનુ આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પંડિત ધીરેન્દ્રક્રિષ્ણ શાસ્ત્રીજી મહારાજે અંતર જાળમા આવેલ સુપ્રિદ્ધ પાતળીયા હનુમાનજી મંદિરની રાત્રી સમયે મુલાકાત લઈ હનુમાન નિજ મંદિરમા પૂજા કરી હતી.

ટ્રસ્ટી શંભુભાઈ મ્યાત્રા,રમેશભાઈ આહીર દ્વારા બાગેશ્વર ધામથી પધારેલ ધીરેન્દ્ર ક્રિષ્ણા સાસ્ત્રીજીનુ સ્વાગત કરવામાં આવ્યું હતુ,સમગ્ર આયોજન પાતળીયા હનુમાનજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું,જેમાં શ્રી સર્વે જીવ કલ્યાણ ટ્રસ્ટ અંતર જાળના ટ્રસ્ટી મનીષા બાપટની મહિલા મંડળની ટીમ સ્વાગત માટેની તૈયારી કરી ,વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલની રંગોળી ,સ્વાગતમ્ ,મંદિરને ફૂલોથી સજાવવામાં આવેલ હતું.

જેમાં  સર્વે જીવ કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી મનીષા બાપટ મહિલા મંડળ ટીમ એડવોકેટ રચના જોષી, એડવોકેટ પારુલ સોની, જોષી ,કવિતા કેસરિયા ,વૈભવી ગોર,કલ્પના ગોર,તૃપ્તિ જોષી,ડિમ્પલ આચાર્ય ,ભક્તિ જોષી,શોભાના જોષી,ચેતના ગામોટ,ગીતાબેન આહીર,દીપા વજીરાની,મંજુ ગેડા તથા અનેક સેવાભાવી સંસ્થાઓમાં હોદો ધરાવતા પૂર્વ કચ્છ મિડિયા રિપોર્ટર,રાઇટર અને એન્કર ભારતી માખીજાણી વગેરેએ ભાગ લીધો હતો ,માહિતી મુકેશ બાપટ દ્વારા આપવામાં આવેલ છે.

 ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.