Abtak Media Google News

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે અચાનક રાજીનામું ધરી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. રાજ્ય સરકાર દ્વારા એ.જે શાહનું રાજીનામું સ્વીકારી લીધું છે. ત્યારે આજે ગુજરાત માધ્યમિક. અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનાં નવા ચેરમેન પદે બંછાનિધિ પાનીની નિમણૂંક કરવામાં આવી છે.

એ. જે. શાહે ચાર્જ છોડયા બાદ બંછાનિધિ પાનીને બોર્ડનો ચાર્જ સોંપાયો

નિવૃત્ત આઈએએસ અધિકારી એ.જે. શાહ શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે અને ચોખ્ખી છાપ ધરાવે છે. એ.જે શાહ 2016-17માં ઉચ્ચ શિક્ષણ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની પાસે શિક્ષણ બોર્ડનો ચાર્જ પણ હતો. જે બાદ તેઓ નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ પણ તેમને એક્સટેન્શન આપીને બોર્ડના ચેરમેન તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા.

તેમને પાંચમું એક્સટેન્શન મળ્યા બાદ તેમણે અચાનક રાજીનામું ધરી દેતા શિક્ષણ આલમમાં ભારે ચર્ચા ઉઠી છે. એ.જે શાહ લાંબા સમય સુધી બોર્ડના ચેરમેન રહ્યા બાદ પાંચમું એક્સટેન્શન પૂર્ણ થાય તે પહેલા જ તેમણે અચાનક રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે એ જે શાહ છેલ્લા કેટલાય વર્ષોથી અને લાંબા સમયથી એક્સટેન્શન ઉપર જ રાખવામાં આવ્યા હતા. આ એક્સ્ટેંશન બાબતે અનેક અહેવાલો અને ફરિયાદો સરકારને પ્રાપ્ત થતી હતી. પરંતુ એ જે શાહને રાજ્ય સરકારે દ્વારા એક્સટેન્શન સતત આપવામાં આવતું હતું. પરંતુ આજે એ.જેમ શાહે રાજીનામુ આપી દેતા સરકારે રાજીનામાનો સ્વીકાર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.