Abtak Media Google News

જીતુભાઈ વાઘાણીએ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ અને પ્રદેશ મહામંત્રી ભીખુ ભાઈ દલસાણીયા સાથે લેઉવા પટેલ સમાજની આસ્થાના પ્રતિક એવા ખોડલધામ પહોંચ્યા હતા.

ખોડલધામ(કાગવડ)માં મા ખોડલના દર્શને પહોંચ્યા હતા. ખોડલધામ ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવ,પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ભીખુભાઈ દલસાણીયા સહિતના નેતાઓએ દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

ખોડલધામના દર્શનાર્થે આવેલ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ખોડલધામના નરેશભાઈ પટેલે 4 વર્ષમાં ખોડલધામનું નિર્માણ કરીને ધાર્મિકતા અને આધ્યાત્મિકતા સાથે સર્વાંગી સમાજને જોડવાનું કાર્ય કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.