Abtak Media Google News

પવિત્ર શ્રાવણ માસમાં બહેનો દેવદર્શન કરી પુણ્યનું ભાથુ બાંધે તેવા ઉમદા આશયથી શહેર ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકીયા દ્વારા સૌરાષ્ટ્રનાં પ્રસિધ્ધ રફાળેશ્વર તથા જડેશ્વર મહાદેવના દર્શન કરાવવા માટેની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત શહેરના વોર્ડનં. ૮ના બહેનોને વિનામૂલ્યે દેવદર્શન થઈ શકે તે માટે હર હર મહાદેવ અને ઓમ નમશિવાયના ઘોષ સાથે વોર્ડમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતેથી આ યાત્રાનું પ્રસ્થાન કરાયું હતુ.

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતુકે ભારતીય જનતા પાર્ટીએ માત્ર રાજકીય વ્યકિતનો સમુહનથી પરંતુ સમાજમા સામાજીક સમરસતા અને રાષ્ટ્રભાવના જાગે તેવા હેતુથી પાર્ટીનો કાર્યકર્તા કાર્યરત છે. ત્યારે ધર્મ અને ભકિતનો સમન્યવય એવા પવિત્ર શ્રાવણ માસમાં સુંદર આયોજન થકી સમગ્ર સમાજ સાથે પરિવારની ભાવનાથી ભારતીય જનતા પાર્ટી જોડાયેલી છે.

આ તકે શહેર ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકીયા સહિત વિક્રમ પુજારા, વોર્ડના પ્રભારી નીતીન ભુત, કાથડભાઈ ડાંગર તેમજ સ્થાનીક અગ્રણી જયંતભાઈ ધોળકીયા હસુભાઈ નાર, નીનાબેન વજીર, ચંદ્રીકાબેન મકવાણા તથા સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.