Abtak Media Google News

ખેડૂતોએ પેનલ ઉપર મુકેલા વિશ્ર્વાસ બદલ આભાર વ્યકત કરતા ધારાસભ્ય રૈયાણી સહિતના આગેવાનો

કુવાડવા જૂ સહકારી મંડળી લી.ની વ્યવસપક કમિટિ ૨૦૧૮ની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની પેનલનો વિજય થયો છે. આ વિજય બદલ રૈયાણી સહિતના આગેવાનોએ ખેડૂતોનો આભાર માન્યો છે.

આજરોજ ‘અબતક’ની મુલાકાત દરમિયાન ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીએ કહ્યું હતું કે, ભાજપની યુવા નેતાગીરીએ કોંગ્રેસનો કાટમાળ દૂર કર્યો છે અને મોટી લીડી વિજય મેળવ્યો છે. ખેડૂતોએ વિશ્વાસ મૂકયો તે બદલ આભાર અમે ખેડૂતોના તમામ પ્રશ્નોને વાચા આપીં. સરકારની દરેક યોજનાનો ખેડૂતોને લાભ મળશે.

આ સંદર્ભે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ભરતભાઈ કાકડિયા, રમેશભાઈ ઢોલરીયાએ કુવાડવા, ગુંદા, કુચીયાદળ, રામપરા-બેટી, હીરાસરના ખેડૂતોએ આ પેનલ ઉપર જે વિશ્ર્વાસ મુક્યો તે બદલ દિલી આભાર વ્યકત કર્યો. ખેડૂતોની દરેક સમસ્યાનો ઉકેલ આવે અને ખેડૂતોના પ્રશ્નને વાચા આપશું એ જ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીનો ધ્યેય છે.

અરવિંદભાઈ રૈયાણી, ભરતભાઈ કાકડીયા, રમેશભાઈ ઢોલરીયા, મુકેશભાઈ કાકડીયા, કાંતીલાલ અજાણી, નારણભાઈ કાકડીયા, અશોકભાઈ રૈયાણી, જેન્તીભાઈ સોજીત્રા, ઠાકરશીભાઈ દુધાત્રા, વિનુભાઈ જાડા, સુખાભાઈ ભાલગામડિયા, અનસૂયાબેન ઢોલરીયા, લીલાબેન સોજીત્રા, શિવલાલભાઈ રામાણી, દિનેશભાઈ ચાવડાની પેનલનો ભવ્ય વિજય યેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.