Abtak Media Google News

ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે મહંત પૂ. ભાવેશબાપુના આશિર્વાદ લીધા હતા, વિજેતા બન્યા બાદ ધારાસભ્ય ફરી આશ્રમે દર્શનાર્થે પધાર્યા

સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી-દસાડા વિધાનસભા બેઠકના ભાજપના નવનિયુકત ધારાસભ્ય પરસોતમભાઈ પરમારે તાજેતરમાં પાટડીના જગ વિખ્યાત ઉદાસી આશ્રમની મૂલાકાત લીધી હતી અને સંત શિરોમણી પૂ. ભાવેશબાપુના આશિર્વાદ  લીધા હતા.

Img 20230106 Wa0002

અત્રે  ઉલ્લેખનીય છે કે  ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે પણ પરસોતમભાઈ પરમારે પૂ. ભાવેશબાપુના આશિર્વચન લીધા હતા પૂ. બાપુએ વિજયી ભવ:ના આશિર્વાદ આપ્યા હતા જે તેઓને ફળ્યા છે. ધારાસભ્ય તરીકે ચૂંટાયાબાદ તાજેતરમાં  તેઓ ફરી ઉદાસી આશ્રમ ખાતે પૂ. ભાવેશબાપુના આશિર્વાદ માટે પધાર્યા હતા. અગાઉ આ બેઠક કોંગ્રેસ પાસે હતી. પણ આ બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો. આ અંગે ધારાસભ્ય પરસોતમભાઈ પરમારે કહ્યું કે તેઓને ઉદાસી આશ્રમના આશીર્વાદ ફળ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.