Abtak Media Google News
  • આગામી રાજકોટ 42.1 ડિગ્રી સાથે રાજ્યનું હોટ સીટી બન્યુ: 8 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું

ગુજરાતીઓ માટે મે કરતા એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે.તેમાં પણ એપ્રિલ મહિનામાં 25 માંથી 20 દિવસ તો 40 થી વધુ ડિગ્રી તાપમાનમાં શેકાવા તૈયાર રહેવું પડશે. વેકેશન પૂરુ થતા જ વાતાવરણ તેના અસલી મિજાજમાં આવે તેવી સંભાવના છે. એપ્રિલના ત્રીજા સપ્તાહમાં જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી જાય તેવી શક્યતા છે. રાજકોટ 42 ડિગ્રી સાથે રાજ્યનું હોટ સીટી બન્યું છે. 12 થી 15 એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 થી 15 એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે. આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જોર રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર પડશે તેમણે કહ્યું કે, હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે. સૂર્ય મેશ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે,

જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે. સૂર્ય 10-11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે. હવામાનમાં ભારે પલટા આવશે. આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે. 11 મેં આસપાસ બંગાળાના ઉપસાગરમા હળવા દબાણ પેદા થશે. 20 મે બાદ ગરમી જોર પકડશે. 24 મે થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે. ગુજરાતમાં 13 એપ્રિલથી કમોસમી વરસાદની આગાહી છે. 13 થી 15 એપ્રિલ દરમિયાન આખા ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત અને ગીર સોમનાથમાં માવઠું થશે. તો 14-15 એપ્રિલે છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને ગીર પંથકમાં વરસાદની આગાહી છે.

  • અમદાવાદ         40.8
  • ડીસા                 41.6
  • ગાંધીનગર          40.5
  • વીવી નગર         41.1
  • વડોદરા             40.4
  • ભૂજ                  41.4
  • ભાવનગર           39.2
  • રાજકોટ             42.1
  • સુરેન્દ્રનગર         41.3

ઘોઘા પંથકમાં 3.2ની તિવ્રતાનો ભૂકંપ

ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં ધરતીકંપનો આચકો આવ્યો હોવાની વાત વહેતી થઈ હતી. જેને પગલે સુત્રોના જણાયા પ્રમાણે ઘોઘા તાલુકાના ખાસ કરીને કુકડ, ગોરીયાળી, કંટાળા, ભાખલ, લાકડીયા નવાગામ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હોવાની વાત વહેતી થઈ છે. સોશિયલ મીડિયા ઉપર પણ ધરતીકંપની વાત વહેતી થતા લોકોમાં ધરતીકંપને લઈને ફરી ચર્ચાઓ જાગી હતી. જો કે ભાવનગર અગાઉ કચ્છમાં આવેલા ધરતીકંપ પહેલા સતત આચકાઓ અને આફ્ટશોક અનુભવી ચૂક્યુ છે. ધરતીકંપમાં 3.2નો આંચકો રાત્રિના 9.52 કલાકે અનુભવાયો છે. જો કે તેની ઊંડાઈ 11.7 કિલોમીટર હોવાનું જણાવ્યું છે. ભાવનગર થી 17 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમમાં 11.7 સળ ઊંડાઈએ કેન્દ્રબિંદુ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.