સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ચૈત્રી પૂનમને દિવસે દર્શનનું અનોખું મહત્વ રહેલું છે…ત્યારે મોટી સંખ્યામાં વિરમગામ, માંડલ, મહેસાણા, પાલનપુર સહીતના અનેક શહેરોમાં થી પગપાળા સંઘ ચાલીને ચોટીલા દર્શર્નો જાય છે… ત્યારે શહેરના માર્ગો પર અનેક જગ્યાએ સેવાભાવી લોકો દ્વારા ચાલીને જતા હજારો શ્રધ્ધાળુ માટે ચા-પાણી, નાસ્તા, રહેવા-જમવા સહીત દવા અને સારવારની સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે… ત્યારે મુળી હાઇવે પર શેખપર પાસે છેલ્લા ૧૭ વર્ષથી ચોટીલા જતા પગપાળા શ્રધ્ધાળુ માટે સ્વામિનારાયણ ડેલાના યુવા ગ્રુપ દ્વારા રહેવા-જમવા સહીતની તમામ સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે… જયારે આ સમગ્ર કેમ્પનુ સફળ આયોજન ભરતભાઈ સાબુવાળા, જયેન્દ્રભાઈ ધંધુકિયા, નાનભા પરમાર, જશુભા ઝાલા, રાકેશસિંહ (મુન્નાભાઇ) પરમાર સહીતના યુવકો દ્વારા કરવામાં આવ્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સંયુક્ત સાહસોમાં સારું રહે અને દિન શુભ રહે
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ