Abtak Media Google News

દંપતી વચ્ચે ઝઘડો થતા પરિણીતા રિસામણે જતા તેની બહેનોએ કર્યો હુમલો

શાપરમાં દંપતી વચ્ચે ઝઘડો થતા રિસામણે ગયેલી પરિણીતાની ત્રણ બહેનોએ સાસરે જાય તેની નણંદને માર મારતા યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

શાપરમાં શીતળા મંદિર પાસે રહેતી ધર્મિષ્ઠા દલસુખભાઈ રાઠોડ (ઉ.વ.21) ગઈકાલે ઘરે હતી ત્યારે ઘસી આવેલી દક્ષા, જીગુ, જમના નામની મહિલાઓએ ઝઘડો કરી બેફામ ઢીકાપાટુનો મારમારતાં તેણીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ઇજાગ્રસ્ત યુવતીએ જણાવ્યું હતું કે, પોતે તેની માતા અને ભાઈ સાથે રહે છે, તેમના ભાઈના પાંચ માસ પહેલાં રાજકોટના ભૂતખાના ચોક પાસે રહેતી યુવતી સાથે લગ્ન થયાં હતાં. ગઈકાલે તેમની ભાભીને તેના માવતરે જવું હોય જે મામલે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં બંને તેના માવતર ગયાં હતાં. ત્યાર બાદ સાંજે બંને ઘરે પરત ફર્યા બાદ ફરીવાર ઝઘડો થતાં તેણીની ભાભી તેના માવતર ચાલી ગઈ હતી અને તેમની બહેનોને ખોટી ચડામણી કરી ઘરે મોકલી મારામારી કરી હતી. બનાવ અંગે પોલીસે નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.