Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે: આયોજકોએ ‘અબતક’ની મુલાકાત દરમિયાન આપી વિગતો

કચ્છી ભાનુશાલી મહાજન ટ્રસ્ટ દ્વારા તા.૧૪ના અષાઢી બીજના રોજ કચ્છી નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. જેમાં પેડક રોડ પર આવેલા અટલ બિહારી બાજપાઈ ઓડિટોરીયમ ખાતે સ્નેહમિલન તથા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની વિસ્તૃત વિગત આપવા સંજયભાઈ ભાનુશાલી, વાલજીભાઈ નંદા, દામજીભાઈ ધુકેર, જેન્તીભાઈ દામા, રામજીભાઈ દામા, જયેશભાઈ ભાનુશાલી, ખેતશીભાઈ ભાનુશાલી અને ભરતભાઈ ભાનુશાલીએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

કચ્છી ભાનુશાલી મહાજન ટ્રસ્ટ આયોજીત સ્નેહમિલન તથા સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાંજે ૬ થી ૬:૩૦ દરમિયાન હાજરી આપશે. કાર્યક્રમનો પ્રારંભ બપોરે ૩:૦૦ કલાકે થશે. આ સાથે સાંજે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દલસુખભાઈ જાગાણી, અજયભાઈ પરમાર, મુકેશભાઈ રાદડિયા, અનિલભાઈ રાઠોડ, પરેશભાઈ પીપળીયા, પ્રીતીબેન પનારા, દક્ષાબેન ભેસાણીયા, દેવુબેન જાદવ, સજુબેન કળોતરા સહિતના ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.