Abtak Media Google News

ભુજના શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિર દરબારગઢ ચોક ખાતે તદ્દન નવિન પ્રકારે હિંડોળા સજાવવામાં આવ્યું હતું, ચંદ્રયાન  મિશનની સફળતા ને ઉજાગર કરવા ગાદી સંસ્થાનના સંતો-ભક્તોને ઉત્સાહ જાગ્યો અને તેમાંથી જન્મ થયો ચંદ્ર યાન હિંડોળાનો લગભગ બે મજલા જેટલી ઉંચાઈ ધરાવતા બબ્બે રોકેટ તથા  અન્ય નાના મોટા યાન અને રોકેટ ની કલાત્મક ગોઠવણ દર્શકો નું ખાસ ધ્યાન ખેંચે છે.

આ આવકાશ યાનોની બીજી  વિશેષતા એ છે  કે તેનું નિર્માણ અનાજના દાણાથી કરવામાં આવ્યું છે, સ્વતંત્રતા ના 77મા પર્વે  કુલ્લે 76 કિલોગ્રામ વાલના દાણા વાપરવામાં આવ્યા છે જે પણ એક સુખદ સંયોગ છે. રાષ્ટ્રના ગૌરવ સમાન ચંદ્રયાનને હિંડોળા ઉત્સવ સાથે જોડવાનો વિચાર જ અભિનંદનને પાત્ર છે.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીની પ્રેરણા તથા મંદિરના બ્રહ્મનિષ્ઠ સંત સદગુરુ શ્રી મહામૂનીશ્વર દાસજી સ્વામીના પ્રોત્સાહનથી મંદીરના મહંત શ્રી સત્યપ્રકાશ દાસજી સ્વામીની જહેમત અને  સહુ  સંતો ભક્તોની લાંબા સમયની મહેનત દ્વારા તૈયાર થયેલા આવા ચંદ્ર યાન હિંડોળાના દર્શન કયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.