Abtak Media Google News

મુખ્યમંત્રી એરફોર્સ ના ખાસ હેલિકોપ્ટરથી ગીર સોમનાથ જવા અમદાવાદ હવાઈ મથકેથી રવાના થયા છે.  તેઓ મુખ્ય સચિવ ડો.જે એન સિંહ મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ અધિકારીઓ ને સાથે રાખીને ગીર સોમનાથ ના જિલ્લા વહીવટી તંત્ર અધિકારીઓ સાથે પૂર અને અતિવૃષ્ટિ ની સ્થિતિ તેમજ બચાવ કાર્યો ની સમીક્ષા હાથ ધરશે તેમજ જરૂરી માર્ગ દર્શન સૂચનાઓ આપશે.

મુખ્યમંત્રી ગીર સોમનાથ  જિલ્લામાં જિલ્લા તંત્ર સાથે બેઠક કરીને પૂર અને અતિવૃષ્ટિ થી ઉભી થયેલી સ્થિતિ ની સમીક્ષા કરશે તેમજ બચાવ રાહત કાર્યો નું માર્ગ દર્શન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.