Abtak Media Google News

૧૫૦+ બેઠકનો મુખ્યમંત્રીને આશાવાદ

ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનના અંતગર્ત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અમદાવાદના જમાલપુર- ખાડીયા મતવિસ્તારમાં પહોચ્યા હતા. મુખ્યમંત્રીએ સારંગપુર રણછોડજીના મંદીરે દર્શન કરી મહાસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો. રણછોડજીના મંદીરથી મુખ્યમંત્રી ફાફડાની પોળ, પંડીતજીની પોળ, મુન્ના વાડ, સારંગપુર ચકલા, લેઉવાની પોળ, રાયપુર ચકલાથી જમાલપુર પહોચ્યા હતા.મુખ્યમંત્રી લોકોને મળીને ૧૫૦+ બેઠકોનો આશાવાદ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તમામ ૧૮૨ બેઠક પર ભાજપ જન સંપર્ક કરશે. દરેક સમાજનો વિકાસ એ ભાજપની નીતિ રહી છે. ભાજપ કાર્યકર્તાઓની પાર્ટી છે. જયારે કોંગ્રેસ નેતાઓની પાર્ટી છે. સૌનો સાથે સૌના વિકાસ આ મંત્ર પર ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે. મુખ્યમંત્રી શહેરના પ્રસિઘ્ધ જગન્નાથ મંદીર પહોચ્યા હતા. જયાં તેમને જગન્નાથજીના દર્શન કરી ગુજરાતીઓના સુખ, શાંતિ અને વિકાસની પ્રાર્થના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.