Abtak Media Google News

કાટોળીયા પરીવાર દ્વારા કાલે વિજયભાઇ રૂપાણી ઘી તુલા કરવાનો ભવ્ય કાર્યક્રમ

જીતુભાઇ મનુભાઇ કાટોળીયા પરીવાર દ્વારા આવતીકાલે રાત્રે ૮ કલાકે કનૈયા ચોક રૈયારોડ ખાતે આવેલા મેલડીમાં મંદીરે મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીની ઘી તુલાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંત કારાબાપાની મેલડીમાં સાનિઘ્યમાં યોજાનારા આ કાર્યક્રમ વિશે વિસ્તૃત માહીતી આપવા માટે આયોજકો અબતકની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. જેમાં માલધારી સેલ પ્રમુખ જીતુભાઇ મનુભાઇ કાટોળીયા, માલાભાઇ કાટોળીયા, આલાભાઇ કાટોળીયા, ભરતભાઇ મકવાણા, ભૂપતભાઇ ટોળીયા, ડાયાભાઇ રાતડીયા, દેવાભાઇ કાટોળીયા, ભુવા રાજુભાઇ કાટોળીયા, બુટાભાઇ કાટોળીયા, સંજયભાઇ કાટોળીયા, રમેશભાઇ ગોહેલ, ખીમજીભાઇ રાતડીયા, રાજેશભાઇ રાતડીયા, નવઘણ કાટોળીયા, મોહીત કાટોળીયા, જીજ્ઞેશ કાટોળીયા અને હરેશ જાપડા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આયોજકોએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌ પ્રથમવાર મુખ્યમંત્રીની ઘી તુલા થવા જઇ રહી છે ત્યારે આ ઘી તૂલાના કાર્યક્રમનું સ્લમ વિસ્તારમાં આયોજન થાય તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમનું પ્રસારણ પણ કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.