Abtak Media Google News

ધ્રોલમાં રહેતા અને મૂળ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના લોલીયા ગામના રાજેન્દ્રસિંહ વાઘેલાના સુપુત્ર ચિ.ઓમપ્રકાશસિંહના શુભ લગ્ન સુરેન્દ્રનગર જિલ્લાના ગૌતમગઢના ચી.અંજલીબા સાથે  રવિવારના નિર્ધાયા હતા. ચિ. ઓમપ્રકાશસિંહ મુખ્યમંત્રી કાર્યાલયના મીડીયા સેલના ક્ધવીનર તરીકે કાર્યરત હોય જેથી તેઓના આ શુભ લગ્નપ્રસંગમા મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અંજલી રૂપાણી રવિવારે બપોરે ૪ કલાકે હેલિકોપ્ટરમાં ધ્રોલના ભુચરમોરી ખાતે આવેલ હેલીપેડમાં ઉતર્યા હતા.

Img 20191202 Wa0002

ત્યારબાદ મુખ્યમંત્રી ધ્રોલના શ્રીજી ગેસ્ટહાઉસમાં યોજાયેલ લગ્ન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે વિજય રૂપાણી અને અંજલી રૂપાણી તથા હકુભા જાડેજા ગુજરાત રાજ્ય મંત્રી, ધારાસભ્ય રાવજીભાઈ પટેલ લગ્નપ્રસંગમા ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.