Abtak Media Google News

અમદાવાદમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ રહ્યા ઉપસ્થિત

પંડીત દીનદયાલજીની પુણ્યતિથિ નિમિતે આજે ભાજપ દ્વારા સમર્પણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી લડી રહેલા તમામ ઉમેદવારોએ આજે એક સાથે પોતાની જાતને પ્રજાલક્ષી કાર્યો માટે સમર્પિત કરવા માટેના સંકલ્પ લીધા હતા. અમદાવાદમાં કાંકરિયા ખાતે આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં મહાપાલિકાના ભાજપના ૧૯૨ ઉમેદવારોએ સમર્પણના સંકલ્પ લીધા હતા જ્યારે અન્ય જિલ્લાઓ અને મહાનગરોમાં આ સંકલ્પ કાર્યક્રમ વર્ચ્યુઅલી યોજવામાં આવ્યો હતો. રાજકોટમાં આજીડેમ ખાતે પંડીન દીનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ભાજપના ઉમેદવારોએ સમર્પણના સંકલ્પ લીધા હતા. આ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને મુખ્યમંત્રીએ કાર્યકરોને સંબોઘ્યા હતા.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.