Abtak Media Google News

સુપ્રીમ કોર્ટ દ્વારા કાગળો રજૂ કરવાના હુકમ સામે હવે સરકાર રીવ્યુ પિટિશન દાખલ નહીં કરે

2002ના રમખાણમાં બિલકિસ બાનો પર સામુહિક દુષ્કર્મ આચારનાર અને પરિવારના 7 સભ્યોની હત્યા નીપજવવાના કેસમાં આજીવન કેદ ભોગવી રહેલા 11 દોષિતોની જેલ મુક્તિને લગતા તમામ કાગળો રજૂ કરવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સહમત થયું છે.

2002ના ગુજરાત રમખાણોના કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના બિલકિસ બાનોના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.  સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, ગુજરાત અને કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પુનર્વિચાર કરશે નહીં. સોલિસિટર જનરલે એવું પણ કહ્યું કે, અમે આ મામલે વિશેષાધિકારનો દાવો નથી કરી રહ્યા. તેમણે કહ્યું કે સરકાર ગુનેગારોને મુક્ત કરવા સંબંધિત દસ્તાવેજો આપવા માટે તૈયાર છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બીવી નાગરત્નની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી.

ગુજરાત અને કેન્દ્ર સરકારે કહ્યું કે, અમે આ મામલે વિશેષાધિકારનો દાવો નથી કરી રહ્યા. વાસ્તવમાં છેલ્લી સુનાવણીમાં કેન્દ્ર અને ગુજરાતે વિશેષાધિકારનો દાવો કરતા કહ્યું હતું કે, તેઓ સુપ્રીમ કોર્ટના રીલીઝ દસ્તાવેજો મેળવવાના નિર્ણય પર રિવ્યુ પિટિશન દાખલ કરવા માંગે છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવાનું જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ગુજરાત અને કેન્દ્ર સરકાર મુક્તિના દસ્તાવેજો માંગવાના સુપ્રીમ કોર્ટના આદેશ પર પુનર્વિચારની માંગ કરશે નહીં. તેમણે કહ્યું કે, તે રિવ્યુ ફાઇલ કરી રહ્યો નથી. તેઓ રિલીઝને લગતી ફાઈલો લઈને આવ્યા છે.

ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, બિલ્કિસ પીડિતા છે, પરંતુ બાકીના અરજદારો ત્રીજા પક્ષકાર છે. એટલા માટે તેમની પીઆઈએલ ફગાવી દેવી જોઈએ. તેમણે કહ્યું કે અમને બિલકિસની અરજી સામે કોઈ વાંધો નથી, પરંતુ જાહેર હિતની અરજીઓ પર સુનાવણી થવી જોઈએ નહીં. આ અંગે જસ્ટિસ જોસેફે કહ્યું કે અમે હાલમાં બિલ્કીસના દોષિતોની મુક્તિના કેસની સુનાવણી કરી રહ્યા છીએ, પીઆઈએલ સ્વીકાર્ય છે કે કેમ તે પછી નક્કી કરીશું.

ગુજરાત સરકારના સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે, આ કેસમાં ફોજદારી મામલાઓમાં કોઈ તૃતીય પક્ષ અધિકારક્ષેત્ર નથી. સુભાશિની અલી અને મહુઆ મોઇત્રા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ ફગાવી દેવી જોઈએ. તેના પર જસ્ટિસ કેએમ જોસેફે કહ્યું કે પીડિતા પોતે અહીં છે, અમે તેને પહેલા સાંભળી શકીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.